બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Pooja Khunti
Last Updated: 10:31 AM, 15 February 2024
રાજનૈતિક દળોનાં નામે ચોરી કરતાં લોકોને સમસ્યા થવાની છે. આવકવેરા વિભાગે આવા કેટલાક કરદાતાઓને નોટિસ આપી છે, જેમની ઉપર તેમને શંકા છે. તેમણે ઇન્કમ ટેક્સ બચાવવા માટે બોગસ રાજકીય દળોને દાન આપ્યું છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આ વાતની શંકા હતી
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર એક અહેવાલ મુજબ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એવા ઘણા કરદાતાઓને નોટિસ આપી છે, જેમણે ઘણા રાજનૈતિક દળોને દાન આપ્યું છે. જે નોંધાયેલ તો છે પણ ચુંટણી પક્ષ દ્વારા માન્ય નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માટે મોકલવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ જાણવા માંગે છે કે અનામી પક્ષોને આપવામાં આવેલ દાન ટેક્સની ચોરી કરવા માટે અને રૂપિયાની હેરાફેરી કરવા માટે તો નથી ને.
આ લોકોને નોટિસ આપવામાં આવી છે
અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી અત્યાર સુધીમાં 5 હજાર નોટિસ આપવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ હજુ પણ કેટલાક શંકાસ્પદ લોકોને નોટિસ મોકલવાની છે. આવનાર સમયમાં રાજનૈતિક દળોને દાન આપવાવાળા કેટલાક કરદાતાઓને પણ ઇન્કમ ટેક્સની નોટિસ જશે.
વાંચવા જેવું: શેરબજાર ખુલતાની સાથે જ ધડામ, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ, જુઓ Paytmના શેર ક્યાં જઇને અટક્યાં
20 રાજકીય પક્ષોને લગતી બાબતો
હાલ ઇન્કમ ટેક્સનાં નિસાન પર 20 રાજકીય પક્ષોને દાન આપવાવાળા કરદાતાઓ છે. આ લોકોએ નામ તો નોંધાવ્યું છે પણ ચુંટણી પક્ષ દ્વારા તેમને માન્યતા આપવામાં નથી આવી. જે હિસાબથી દાન આપવામાં આવ્યું હતું તે જોતાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને શંકા ગઈ હતી. આવક વેરાનો કાયદો રાજકીય પક્ષોને દાન પર ટેક્સથી છૂટ આપે છે. જો કોઈ કરદાતા કોઈ રાજકીય પાર્ટીને દાન આપે છે તો તે દાનના બદલામાં 100% કપાતનો દાવો કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime