બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દરરોજ ચા સાથે સિગારેટ પીવાથી આ બીમારીનો ખતરો, જાણો લક્ષણો અને બચવાના ઉપાય
Last Updated: 05:29 PM, 14 December 2024
દુનિયામાં રિલેક્સ થવા અને ઇન્સ્ટન્ટ એલર્જી માટે ચા અને સિગારેટનું સાથે સેવન કરવામાં આવે છે. થોડી ચા પીવી યોગ્ય છે, પરંતુ કેફીન અને ધુમ્રપાનનું વધારે સેવન પેટના સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. જેથી ક્રોનિક કબજિયાત અને અન્ય સમસ્યા થઈ શકે છે. ચામાં કેફીન હોય છે. જે એક ટોનિક છે, જેની પાચન તંત્ર પર મિશ્રિત અસર થઈ શકે છે. યોગ્ય માત્રામાં કેફીન આંતરડામાં સંકોચન વધારીને મળ ત્યાગને સરળ બનાવી શકે છે. બીજી બાજુ વધારે ચા પીવાથી શરીરમાં પાણીની ખામી થઈ શકે છે. પરિણામે મળ સખત બને છે અને મળ ત્યાગની ગતિ ધીમી થઈ જાય છે.
ADVERTISEMENT

કેફીન પેશાબના રસ્તામાં બળતરા પેદા કરી શકે છે. શરીરથી પાણી કાઢવામાં મદદ કરે છે. નિર્જલીકરણ સીધી મળની સ્થિરતા અને માર્ગને પ્રભાવિત કરે છે. જેથી કબજિયાત થાય છે. લેકટોઝ અસહિષ્ણુ વ્યક્તિ પાચન સંબંધીત સમસ્યાઓથી પીડાઈ શકે છે કારણ કે ચામાં દૂધ હોય છે. ધુમ્રપાનથી જઠરાંત્ર માર્ગ પર ગંભીર અસર પડી શકે છે. સિગારેટમાં નિકોટિનનું પ્રમાણ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને આંતરડાની પ્રવૃત્તિને અસ્થાયી રૂપે ઝડપી બનાવી શકે છે પરંતુ સતત ધૂમ્રપાન ગટ માઇક્રોબાયોટાના સંતુલનને બગાડે છે. જે પાચનના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ADVERTISEMENT
બીજી બાજુ નિકોટિન આંતરડામાં લોહીના પ્રવાહને ઘટાડે છે. જેથી તેમની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. સમય સાથે લોહીનો પ્રવાહ ધીમો અને ક્રોનિક બળતરા આંતરડાના અસ્તરને નુકસાન પહોંચાડે છે. જેથી પાચન અને મળ ત્યાગમાં સમસ્યા થાય છે. ધુમ્રપાનથી કબજિયાથી જોડાયેલુ IBS અને IBDનું જોખમ વધી શકે છે.

ADVERTISEMENT
રોકવા માટે ઉપાય
ચાનું સેવન ઘટાડવુ; કેફીનનું સેવન ઘટાડવુ એન હર્બલ ચાનું સેવન કરવું જેમાં કેફીન-મુક્ત અને ફૂદીનો કે આદું જેવી સામગ્રી હોય.
ADVERTISEMENT
હાઇડ્રેટેડ રહેવું: આખા દિવસમાં ખૂબ પાણીનું સેવન કેફીનની અસરોનો સામનો કરી શકે છે. દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું.
ધુમ્રપાન છોડવું: ધુમ્રપાનની ટેવને ઘટાડવી અથવા સાવ બંધ કરીને આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકો છો.
ADVERTISEMENT
આ પણ વાંચો : છાતીમાં દુખાવો અને થાક, સવારે ઉઠતાની સાથે પુરૂષોમાં આ સંકેત હાર્ટ બ્લોકેજની નિશાની
ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારવું: ડાયટમાં ભરપૂર માત્રામાં ફાઈબર સામેલ કરવો, જેમાં ફળ, શાકભાજી અને આખા અનાજનું સેવન કરવું. ફાઈબર મળ ત્યાગમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે.
ADVERTISEMENT
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.