બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / ખાંસી મટાડવા ગુલાબ જળમાં દારુ મિક્સ કરીને પીધું, તો શખ્સ સાથે બન્યું રૃવાંડા ઊભા કરી દેનારું

ગજબ / ખાંસી મટાડવા ગુલાબ જળમાં દારુ મિક્સ કરીને પીધું, તો શખ્સ સાથે બન્યું રૃવાંડા ઊભા કરી દેનારું

Nirav Kumar

Last Updated: 05:53 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુઘલ સલ્તનતમાં એક એવો બાદશાહ થઇ ગયો છે કે, જેમની દારૂની વ્યસનને કારણે માત્ર તેમના સ્વાસ્થ્યને નહીં પણ શાસન વ્યવસ્થા પણ ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. તેમને આ વ્યસન માત્ર 15 વર્ષની ઉંમરે શરુ થઇ ગયું હતું.

ભારતના ઈતિહાસમાં મુઘલ સલ્તનતનો એક લાંબો પીરિયડ રહ્યો છે. જેમાં અનેક બાદશાહ થઇ ગયા. તેમને તેમના શાસનકાળમાં અનેક સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ એક બાદશાહ સ્થાપત્ય અને વહીવટી યોગદાન સિવાય તેમના દારૂ અને અફીણના જોરદાર વ્યસન માટે પણ જાણીતો હતો. શરાબી રાજા તરીકે જાણીતા તે બીજું કોઈ નહીં પણ જહાંગીર હતા. જહાંગીરના દારૂ પરની નિર્ભરતાએ તેમના અંગત જીવન અને તેમના શાસન બંનેને અસર કરી હતી.

  • વ્યસન આ રીતે થયું શરૂ

જહાંગીરની આ વ્યસન ખૂબ જ નાની ઉંમરે શરૂ થઇ ગઈ હતી. 15 વર્ષની ઉંમરે તેમને ઉધરસની સારવાર માટે ગુલાબજળમાં દારૂ ભેળવીને આપવામાં આવતો હતો. દારૂનો આ ઔષધીય ઉપયોગ ધીરે ધીરે તેમના માટે એક આદત બનની ગઈ. બાદમાં અફઘાન બળવાખોરો સામેના યુદ્ધ દરમિયાન કોઈએ તેમને થાક દૂર કરવા માટે દારૂ પીવાની સલાહ આપી હતી. પછી તેમનું દારૂનું વ્યસન વધતું ગયું અને આ લત વર્ષો સુધી રહી.

vtv app promotion
  • દારૂ સાથે અફીણનું પણ વ્યસન

જહાંગીરને દારૂ કેટલો પસંદ હતો તેની જાણ તેમની આત્મકથા તુઝુક-એ-જહાંગીરીમાં પણ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે જહાંગીર દિવસ દરમિયાન લગભગ 20 ગ્લાસ દારૂ પીતા હતા. જેમાં દિવસે 14 અને રાત્રે 6 ગ્લાસનો સમાવેશ થતો હતો.  તે પોતાનાં શોખ પુરા કરવા માટે ઈરાન અને મધ્ય એશિયાથી પણ વાઇન મંગાવતા હતા, તે માત્ર દારૂ જ નહીં પરંતુ અફીણ પણ પીતા હતા.

વધુ વાંચો : કોણ છે સુગર ડેડી, જેની પાછળ દિવાની બની જાય છે છોકરીઓ, જાણીને લાગી જશે આંચકો

  • શાસન પર પણ અસર

જહાંગીરના વ્યસનની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડી હતી. એક સમયે તે એટલા કમજોર પડી ગયા હતા કે, તે એક ગ્લાસ દારુ પણ પી શકતા નહતા. જહાંગીરના ડૉક્ટરે ચેતવણી આપી હતી કે જો તે દારૂ પીવાનું બંધ નહીં કરે તો તે છ મહિના પણ જીવી નહીં શકે. ત્યાર બાદ જહાંગીરે અફીણ અને અન્ય સુકા નશાનું સેવન કરવાનું શરૂ કર્યું હતું. આમ સમય જતાં તેમની શાસન કરવાની ક્ષમતા કમજોર પડી ગઈ હતી અને તેમની પત્ની નૂરજહાંએ વહીવટની બાગડોર સંભાળી લીધી હતી. માત્ર જહાંગીર જ નહીં પરંતુ તેના ભાઈઓ મુરાદ અને દાનિયાલ પણ દારૂના વ્યસની હતા, જેના કારણે આખરે તેમના મૃત્યુ થયા હતા. દારૂ અને અફીણની લતે મુઘલ દરબારને પણ ખરાબ રીતે અસર કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mughal Emperor Jahangir Alcohol Addiction
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ