બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / ખોરાક અને રેસીપી / બધાને લાગુ પડશે! ભોજનની થાળીમાં આ ચીજ એંઠી છોડવી આવરદા ઘટાડશે, થશે અકાળે મોત
Last Updated: 10:51 AM, 24 July 2025
ભોજન એંઠું મુકવું આમેય સારુ ગણાતું નથી અને તેમાંય જ્યારે એંઠું મૂકવાને કારણે મોતની વાત ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની જતી હોય છે. ઘણા લોકો મનફાવે તેમ થાળીમાં એંઠું મુકી દેતા હોય છે, ભોજનનો બગાડ તો થાય જ છે પરંતુ હવે આ સંબંધિત એક ખૌફનાક સત્ય સામે આવ્યું છે જેનો રામાયણમા પણ ઉલ્લેખ મળે છે.
ADVERTISEMENT
કઈ ચીજ એંઠી છોડવી અશુભ
ધાર્મિક માન્યતા અનુસાર, ભોજન સમયે થાળીમાં દહીં એઠું છોડવું અશુભ ગણાય છે અને તેનાથી આવરદાં ઘટે છે, અકાળ મોતનો ખતરો પણ રહેતો હોય છે. તો હવેથી થાળીમાં દહીં એંઠું મૂકવાની ભૂલ ન કરતાં.
ADVERTISEMENT
શું છે રામાયણનો પ્રસંગ
રામાયણમાં આ સંબંધિત એક પ્રસંગ છે કે જ્યારે હનુમાનજીએ લંકામાં રાવણના રસોડામાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે જોયું કે રાવણે થાળીમાં દહીં એંઠું મૂક્યું હતું જેનો સંકેત હનુમાનજી સમજી ગયા કે હવે રાવણનો અંત નજીકમાં છે. ત્યારથી દહીં એંઠું છોડવાથી આવરદા ઘટે છે તેવી માન્યતા પ્રચલિત છે.
ADVERTISEMENT
દહીં ખાવાના બીજા પણ ઘણા લાભ
દહીં ખાવાના બીજા પણ અનેક લાભ છે, એક સમજોને કે દહીં શરીર સારુ રાખવાની ગુરુચાવી છે.
ADVERTISEMENT
પેટ સંબંધિત સમસ્યા
દહીં ખાવું ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ન્યૂટ્રિશન એક્સપર્ટ્સ અનુસાર દરરોજ દહીંનું સેવન કરવાથી તમને પેટ સંબંધિત સમસ્યા નથી થતી. પાચનમાં સુધાર માટે આ તમારી ઘણી મદદ કરે છે. જો સવારના સમયે તમારૂ પેટ હંમેશા ખરાબ રહે છે તો તમને ખાલી પેટ રોજ તેનું સેવન કરવું જોઈએ.
ADVERTISEMENT
ઈમ્યૂનિટી
તમારા કમજોર શરીરને મજબૂત બનાવવા માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે. ઈમ્યૂનિટીને વધારવામાં તમારી આ ખૂબ જ મદદ કરે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે. જે તમારા લોહીને યોગ્ય રીતે કામ કરવામાં તમારી મદદ કરે છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન બી12 વધારે પ્રમાણમાં હોય છે. જો તમે તેનું સેવન ખાલી પેટે કરો છો તો તમને ખૂબ વધારે ફાયદો જોવા મળશે.
ADVERTISEMENT
હાડકાને કરે છે મજબૂત
હાડકા અને મસલ્સને મજબૂત બનાવી રાખવા માટે તમને તેનું સેવન રોજ કરવું જોઈએ. દહીં ઓછી કેલેરી વાળી વસ્તુ છે. જો તમે પોતાના વજનને ઓછુ કરવા માંગો છો અને તમને સમજ નથી આવી રહી કે તમે કેવી રીતે પોતાના વજનને સરળતાથી ઘટાડી શકો તો તમારે રોજ ખાલી પેટે તેનું સેવન કરવું.
સોજા
દહીંને ખાલી પેટે ખાવાથી શરીરના સોજા ઓછા થઈ શકે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ મળી આવે છે. તેનું સેવન કરવાથી ઘણી જુની બીમારીઓ ઠીક થઈ શકે છે. કોલેસ્ટ્રોલ બનવાથી રોકવામાં આ તમારી મદદ કરે છે.
વધુ વાંચો : એકાંતનો ઉપયોગ! ઉડતી ફ્લાઈટમાં કપલે માણ્યું સેક્સ, બે બાળકોએ પકડી પાડતાં હોબાળો મચ્યો
હાઈ બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશર, બ્લડ પ્રેશર જેવી બીમારીઓને ઠીક કરવામાં દહીં તમારી મદદ કરે છે. ડાયેટમાં તમે તેનું સેવન કરી શકો છો. હાઈ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં આ તમારી મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.