બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / dog as pet for shani rahu ketu shanti it get rid of many problems dog and astrology

તમારા કામનું / ઘરમાં શ્વાન પાળવાથી આ ગ્રહ દોષમાંથી મળે છે મુક્તિ, દૂર થશે જીવનના ઘણા સંકટ

Arohi

Last Updated: 12:00 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો શનિ, રાહુ-કેતુ ગ્રહોની ત્રિપુટી જીવનમાં સમસ્યાઓ આપી રહી છે તો ઘરમાં કૂતરો પાળવાથી આ ગ્રહોથી શાંતિ મળે છે.

  • શનિ, રાહુ-કેતુ ગ્રહોની સમસ્યાથી મળશે છુટકારો 
  • ઘરમાં કૂતરો પાળવાથી ગ્રહો થશે શાંત 
  • જાણો કઈ કઈ વાતોનું રાખશો ધ્યાન 

શનિ અને રાહુ-કેતુ એવા ગ્રહો છે તેમના નામ સાંભળતા જ લોકોના મનમાં ડર આવે છે કારણ કે જો આ ગ્રહો અશુભ હોય તો જીવન બગાડે છે. તેથી જો જન્મકુંડળીમાં શનિદોષ કે રાહુ-કેતુ સંબંધિત કોઈ ખામી હોય તો તેનો તરત જ ઉપાય કરવો જોઈએ. 

આ ગ્રહો જીવનની કમાણી, માન, સંબંધોને પળવારમાં ખતમ કરવાની શક્તિ ધરાવે છે. જીવનના દરેક ક્ષણ સંકટથી ઘેરાઈ જાય છે. જો તમે પણ આ ગ્રહોને શાંત રાખવા ઈચ્છો છો તો તેના માટે તમારે એક જ કામ કરવું પડશે.

શ્વાનને પાળવાથી શાંત થાય છે શનિ, રાહુ-કેતુ 
ત્રણેય ગ્રહો શનિ અને રાહુ, કેતુને શાંત કરવા માટે ઘરમાં કૂતરો પાળવો સારો ઉપાય છે. જો કૂતરો કાળા રંગનો હોય તો વધુ સારું. કાળો કૂતરો ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર કરે છે અને ઘરને ખરાબ નજરથી પણ બચાવે છે. કૂતરો પાળવાથી શનિ અને કેતુ ગ્રહો શાંત રહે છે અને શુભ ફળ આપે છે.

કૂતરાને રોટલી ખવડાવો 
જો કૂતરો પાળવાનું શક્ય ન હોય તો કૂતરાને રોટલી ખવડાવો. શ્વાનને ભોજન આપવાથી અને તેની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં હોય અથવા જેમની શનિની મહાદશા - સાડે સાતી, ઢૈય્યા ચાલી રહી હોય તેવા લોકોએ કૂતરાઓને ભોજન જરૂર આપવું જોઈએ. ઉપરાંત તેઓએ કૂતરાની સેવા કરવી જોઈએ. તેનાથી શનિના કારણે આવનારી પરેશાનીઓથી બચી શકાય છે. કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવો. 

કાલ ભૈરવ થાય છે પ્રસન્ન
આ ઉપરાંત કાલ ભૈરવ પણ કૂતરાની સેવા કરવાથી પ્રસન્ન થાય છે. કાલ ભૈરવની કૃપા સૌથી મોટા સંકટને ટાળે છે. આવા લોકો જેમના જીવનમાં પૈસાની કમી હોય, સંતાન સુખ ન હોય, તેમણે કાલ ભૈરવની કૃપા મેળવવા માટે કૂતરાની સેવા કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ