બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / dilip kumar passes away tribute reactions

શ્રધ્ધાંજલિ / અલવિદા દિલીપ કુમાર : આ દિગ્ગજોએ ‘ટ્રેજેડી કિંગ’ને કર્યા અંતિમ સલામ

Dharmishtha

Last Updated: 09:32 AM, 7 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના નિધન પર પીએમ મોદી, રાહુલ ગાંધી, રાજનાથ સિંહ, દિગ્વિજય અને અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી.

  • બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા
  • પીએમએ ફોન કરી સાયરા બાનુને સાંત્વના આપી 
  • રાહુલ ગાંધીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી

બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું નિધન થયું છે. બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે દિલીપ કુમારે મુંબઈની એક હોસ્પિટલમાંઅંતિમ શ્વાસ લીધા છે.  તેમના નિધનથી દેશમાં તથા બોલીવુડમાં શોકની લહેર પ્રસરી છે.

પીએમએ ફોન કરી સાયરા બાનુને સાંત્વના આપી 

પીએમ નરેન્દ્ર મોદીએ દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે સાયરા બાનો સાથે ફોન પર વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. આ ઉપરાંત પીએમએ ટ્વીટ લખી કે દિલીપ કુમારજીએ ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ પ્રાપ્ત હતા. જેના કારણે દરેક ઉંમરના લોકો તેમના ફેન રહ્યા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે મોટો ઝટકો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી દિલીપ કુમારને શ્રદ્ધાંજલી આપી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે દિલીપ કુમારના પરિવાર, મિત્રો અને ફેન્સના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. ભારતીય સિનેમા માટે દિલીપ કુમારના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.  

રાજનાથ સિંહે દિલીપ કુમારને યાદ કરતા લખ્યુ કે...

રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલીપ કુમારને યાદ કરતા લખ્યુ કે દિલીપ સાહેબ એક અદભૂત કલાકાર હતા. જેમણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અદૂભૂત કામ કર્યુ. ગંગા જમુનામાં તેમના પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા હતા.

દિગ્વિજય સિંહે ટ્વીટ કરી

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરી દિલીપ કુમાર જી નથી રહ્યા. ફિલ્મ જગતના એક યુગનો અંત, પરિવારજનોને અમારી સંવેદનાઓ. તેમના પ્રત્યે વિનમ્ર શ્રદ્ધાંજલિ.

આપણે એક મહાન અભિનેતાને ગુમાવ્યા-શિવરાજ સિંહ ચૌહાન

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને લખ્યું શ્રી દિલીપ કુમારજીના રુપમાં આજે આપણે એક મહાન અભિનેતાને ગુમાવ્યા છે. ભારતીય સિનેમામાં પોતાના અસાધારણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરાશે. મનોરંજન જગત માટે આ અપૂર્ણીય ક્ષતિ છે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.
 

આપણા બધાના દિલમાં હંમેશા જીવતા રહેશે- કેજરીવાલ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ટ્વીટમાં લખ્યું કે હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારજીના ચાલ્યા જવુ બોલિવુડનો એક અઘ્યાય પુરો થવા સમાન છે. તે આપણા બધાના દિલમાં હંમેશા જીવતા રહેશે. ઈશ્વર તેમની દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.

અજય દેવગન અને અક્ષય કુમારે કહ્યું ...

બોલિવુડ અભિનેતા અજય દેવગને પોતાના ટ્વીટમાં લખ્યું કે મે લેજન્ડની સાથે અનેક ક્ષણો વિતાવેલી, કેટલીક ખાનગી અને કેટલીક સ્ટેજ પર. તે એક ઈન્સ્ટીટ્યૂશન હતા. એક અદભૂત અભિનેતા હતા. ત્યારે અક્ષય કુમારે ટ્વીટમા લખ્યુ કે અમારા જેવા અભિનાતાઓ માટે તે રિયલ હીરો હતા. દિલીપ સાહેબ પોતાની સાથે ભારતીય સિનેમાનો એક યુગ લઈ ગયા.  

સંકળાયેલા મુદ્દાઓ

Dilip Kumar PM modi દિલીપ કુમાર પીએમ મોદી રાહુલ ગાંધી dilip kumar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ