બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:04 PM, 5 April 2024
દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની ખોટ ન આવે અને મા લક્ષ્મીની કૃપા હમેશાં બની રહે અને આ ઈચ્છાથી આપણે બધા મા લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરીએ છીએ. ખાસ કરીને શુક્રવારે મા લક્ષ્મીથી સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં કયારેય પૈસાની ખોટ આવતી નથી. જો તમે પણ આર્થિક લાભ મેળવવા માંગો છો તો શુક્રવારે ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહી. ચાલો જાણીએ શુક્રવારનાં દિવસે ક્યાં ઉપાયો કરવા.
ADVERTISEMENT
શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે સાથે જ જો તમારા પર કોઈ દેવું હોય તો આ ઉપાય કરવાથી દેવું ઓછુ થવા લાગે છે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવાથી મુક્તિ પણ મળી શકે છે.
ADVERTISEMENT
મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી અને શાલિગ્રામની પૂજા જરૂરથી કરવી. આ પૂજાથી મા લક્ષ્મી ખુબ જ ખુશ થાય છે. જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે ત્યાં મા લક્ષ્મી હોય છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂરથી પ્રગટાવવો.
ADVERTISEMENT
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, જેથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. તમે પીળી સાડી, લાડુ, બંગડીઓ અને હળદર મા લક્ષ્મીને અર્પણ કરી શકો છો.
ADVERTISEMENT
મા લક્ષ્મીને વૈજયંતીનાં ફૂલ ખૂબ જ ગમે છે. શુક્રવારે મા લક્ષ્મીની મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવો અને મા લક્ષ્મીનો શણગાર કરો. મા લક્ષ્મીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી અને તેમને વૈજયંતી ફૂલોથી શણગારો. આ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે ઘરમાં કોડી શંખની માળા જરૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કોડીઓને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સમુદ્રમાંથી મા લક્ષ્મી પ્રગટ થયા છે અને કોડીઓ પણ સમુદ્રમાંથી નીકળે છે. આ જ કારણથી મા લક્ષ્મીને કોડીઓ ખૂબ જ પસંદ છે. આને ઘરમાં રાખવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે બની રહે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.