બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:12 PM, 5 April 2024
"શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે" આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે છે. અને પોતાનાં ઈશ્વર કે માતાજી પાસે જઇને પૂજા અર્ચના કરે છે.આવી જ અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓની ઈચ્છા પૂર્ણ કરતાં માતાજી એટલે ગિયોડ ગામે બિરાજમાન માં અંબા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આપણા દેશમાં અનેક મંદિરો આવેલા છે.સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હોય તેવા અને ભક્તોની આસ્થા સાથે મોટું મંદિર નિર્માણ પામે તેવા. મંદિરમાં બેઠેલાં ઈશ્વર ઉપર લોકોને કેટલી શ્રદ્ધા છે કે પોતાનાં ધારેલા દરેક કામ ગમે તેવા સંજોગોમાં પૂર્ણ થઈ જાય છે.ગાંધીનગર જીલ્લાના હિંમતનગર હાઇવે પર ગિયૉડ ગામે શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન આવેલુ છે. ગિયોડ ગામનુ અંબાજી મંદિર મીની અંબાજી તરીકે પણ ઓળખાય છે.સમગ્ર ગુજરાતમાં શ્રી અંબા માતાજી સૌથી મોટી મુર્તિ ગિયૉડમાં છે. હિંમતનગર હાઈવે પર મંદિર આવેલુ હોવાથી ઘણા દર્શનાર્થીઓ મંદિર પાસેથી પસાર થાય ત્યારે અચૂક માતાજીના દર્શન કરીને જ આગળ જાય છે. .
ADVERTISEMENT
હાઇવેને અડીને આવેલા અંબાજી મંદિર ઉપર ભવ્ય શેડ બનાવવામાં આવ્યો છે. તેમજ મંદીર પરિસરમાં ભવ્ય ભોજનાલય, કોન્ફરન્સ હોલ અને ૧૮ રૂમની ધર્મશાળા આવેલી છે.જેની સેવાઓ માત્ર ટોકન ભાવે આપવામા આવે છે. માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે દૂરદૂરથી ઘણા ભાવિકો મોટા સામાજીક કામ અને સેવા કરવાની શરૂઆત પહેલા માતાજીના આશીર્વાદ લેવા આવે છે અને માતાજીને પોતાના કામ સુંદર રીતે સફળ થાય તેવી પ્રાર્થના કરે છે..
ADVERTISEMENT
દર પૂનમે તેમજ દર રવિવારે ટ્રસ્ટ તરફથી ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામા આવે છે.હજારો ભકતો,યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ તેનો લાભ લેય છે.દર વર્ષે ભાદરવી પૂનમે પગપાળા જતાં અનેક સંઘ તેમજ યાત્રાળુઓ માટે સેવાકીય આસ્થાથી મંદિર પરિસરમા નિઃશુલ્ક ફિઝીઓ થેરાપી સેન્ટર ચાલુ કરવામાં છે. વર્ષોથી નિયમિત દર્શને આવતા દર્શનાર્થીઓની માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે અને તેમની મનોકામના માતાજી પૂર્ણ પણ કરે છે.માતાજીના આશીર્વાદથી ઘરે પારણુ બંધાય એટલે તે બાળકને માતાજીના દર્શન કરાવવા ભાવિકો મંદિરે આવે છે. ગાંધીનગર નજીક આવેલુ ગિયોડનું અંબાજી મંદિર ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે.મોટા અંબાજી જેટલી પ્રસિદ્ધી પામેલા ગિયોડ અંબાજી મંદિરે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. ગુજરાત સહિત બહારના રાજ્યોમાંથી પણ ગિયોડ અંબાજી મંદિરે માતાના ચરણોમાં ભાવિકો આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા તો અનુભવે છે જ સાથે સાથે માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં અંબેમાંના નોરતા અને ભાદરવી પૂનમનું ખૂબ મોટું મહત્વ રહેલું છે.ત્યારે ભાદરવી એકમથી લઇને પૂનમ સુધી મંદિરે દરેક પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન તથા રહેવાની સગવડ કરવામાં આવે છે. દર રવિવારે અંબાજી માંના દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે.શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારથી ગીયોડ મંદિરે બિરાજમાન આદ્યશક્તિની આરાધના માટે વહેતો જોવા મળે છે. જે ભક્તો મોટા અંબાજી પગપાળા જઇ શકતા નથી તેવા ભક્તો મીની અંબાજી ગિયોડના દર્શન કરી ધન્ય બને છે. નરોડા, ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલના ભક્તો ચૌદસની રાત્રીથી પગપાળા મંદિરે પહોંચી જાય છે. મંદિરે અંબાજી માતાનો વિશેષ શણગાર કરવામાં આવે છે. સવારે 5 વાગે મહાઆરતી કરવામાં આવે છે આરતીનો લ્હાવો લેવા માટે ભાવિકો મોડી રાતથી મંદિરે આવી પહોચે છે. અને દિવસભર શ્રદ્ધાળુઓના પ્રવાહથી વાતાવરણ ભક્તિમય બની જાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.