બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રક્ષાબંધનના કેટલા દિવસ બાદ ઉતારવી જોઈએ રાખડી, કેટલી ગાંઠો? જરુર જાણો નહીંતર પસ્તાશો

જાણી લો / રક્ષાબંધનના કેટલા દિવસ બાદ ઉતારવી જોઈએ રાખડી, કેટલી ગાંઠો? જરુર જાણો નહીંતર પસ્તાશો

Published By: Jay Bhatt

Last Updated: 01:26 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધનનાં દિવસે બહેન ભાઈનાં હાથમાં રાખડી બાંધે છે. ભાઈ બહેનની રક્ષાનું વચન આપે છે. જો કે, રાખડી કેટલા દિવસ બાદ ઉતારવી જોઈએ તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે.

Raksha Bandhan : રક્ષાબંધન એવો પાવન તહેવાર છે જેના માટે દરેક બહેન વર્ષભર આતુરતાથી રાહ જોતી હોય છે. ભારતમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. ભાઈ અને બહેનના પ્રેમ, સ્નેહનું આ પ્રતિક માત્ર તહેવાર નહીં પરંતુ લાગણીઓનો બંધન છે. આ દિવસ ભાઈ-બહેનના સંબંધની મીઠાશને વધુ ગાઢ બનાવે છે, તેથી જ તેને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.

રાખડીને ભાઈના રક્ષણનું પ્રતિક માનવામાં આવે છે

આજે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે જે ભાઈના રક્ષણનું પ્રતિક માનવામાં આવે છે. રાખડી બાંધ્યા પછી બહેન ભાઈના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ જીવનભર બહેનનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લે છે અને તેને ભેટ આપે છે. જો કે ઘણા લોકોને સવાલ થતો હશે કે રાખડી બાંધ્યાના કેટલા બાદ તેને ઉતારી શકાય, ત્યારે આજે તમને આ સવાલનો જવાબ મળી જશે.

RAKSHA-BANDHAN-1.width-800

આટલા દિવસ બાદ રાખડી ઉતારવી જોઈએ

કેટલાક ભાઈઓ એવા હોય છે જે આખું વર્ષ પોતાના કાંડા પર રાખડી રાખે છે, તેમને લાગે છે કે આ તેમની બહેન પ્રત્યેનો પ્રેમ છે. પરંતુ શાસ્ત્રો કંઈક બીજું જ કહે છે. શાસ્ત્રો અનુસાર, રાખડી ઓછામાં ઓછા 24 કલાક અને વધુમાં વધુ 15 દિવસ સુધી કાંડા પર બાંધવી જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે રાખડી બાંધીએ છીએ, ત્યારે તેમાં રહેલી ઉર્જા 5 દિવસ સુધી વધતી રહે છે અને 11મા દિવસ સુધી તેમાં સકારાત્મક ઉર્જા રહે છે. એટલે 15 દિવસ પહેલા રાખડી ઉતારીને પાણીમાં પધરાવવી જોઈએ, નહીંતર તેનો દોષ લાગે છે.

વધુ વાંચો : રક્ષાબંધન 2025 : ભાઈ-બહેન માટે 10 અલગ અલગ શુભકામના સંદેશ, કાયમી સંભારણા બની રહેશે

રાખડીમાં કેટલી ગાંઠ બાંધવી જોઈએ?

શાસ્ત્રો અનુસાર રાખડીમાં 4 ગાંઠ બાંધવી શુભ માનવામાં આવે છે. પહેલી ગાંઠ ભાઈના લાંબા આયુષ્ય માટે, બીજી ગાંઠ બહેનના લાંબા આયુષ્ય માટે, ત્રીજી ગાંઠ ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ જાળવી રાખવા માટે અને ચોથી ગાંઠ હંમેશા તમારા ઇષ્ટદેવના નામે બાંધવામાં આવે છે. રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નથી, એ ભાઈ-બહેનના દિલમાં વસેલો પ્રેમ અને રક્ષણનો અતૂટ વચન છે. આ દિવસ એ સંબંધને નવી મીઠાશ ભરી દે છે.

Vtv App Promotion 1

રાખડી બાંધવાના કેટલાક ખાસ નિયમો

  • ધાર્મિક માન્યતાઓ અનુસાર, રક્ષાબંધનના દિવસે, ભાઈ અને બહેને સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ.
  • બંનેએ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, હવે ભાઈએ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ. ધ્યાનમાં રાખો કે ભાઈની પીઠ પશ્ચિમ કે દક્ષિણ તરફ હોવી જોઈએ.
  • ભાઈએ ક્યારેય ખાલી અને ખુલ્લા હાથે રાખડી બાંધવી ન જોઈએ.
  • હાથમાં દક્ષિણા કે ચોખા લઈને મુઠ્ઠી બંધ કરો અને પછી બહેન રાખડી બાંધો.
  • સૌ પ્રથમ, બહેને પોતાનું માથું અને ભાઈનું માથું ઢાંકવું જોઈએ.
  • આ પછી, ભાઈના કપાળ પર કુમકુમ તિલક લગાવો અને અક્ષત લગાવો.
  • જમણા હાથમાં નારિયેળ આપો અને ભાઈના હાથમાં રાખડી બાંધો. આ રાખડીમાં ત્રણ ગાંઠો બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Raksha Bandhan Dharm Astrology

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ