બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે સોમ પ્રદોષ વ્રત, ફટાફટ નોટ કરી લેજો શુભ મુહૂર્તથી લઇને પૂજા વિધિની રીત

ધર્મ / આજે સોમ પ્રદોષ વ્રત, ફટાફટ નોટ કરી લેજો શુભ મુહૂર્તથી લઇને પૂજા વિધિની રીત

Last Updated: 08:03 AM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદોષ અને માસિક શિવરાત્રિ આજે દેશભરમાં મનાવવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં શિવ મંદિરોમાં સવારથી ભક્તોની લાઈનો લાગી છે. તો આવો જાણીએ કે સોમ પ્રદોષ વ્રતના દિવસે કેટલાં કલાકોનું શુભ મુહૂર્ત રહેશે?

આષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે એટલે કે આજે 23 જૂનના રોજ સોમ પ્રદોષ વ્રત મનાવવામાં આવી રહ્યું છે. આ તિથિ અને દિવસ ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. સોમવારના દિવસે પ્રદોષ વ્રતના કારણે તેને 'સોમ પ્રદોષ વ્રત' કહેવામાં આવી રહ્યું છે.

હિન્દુ પંચાંગ મુજબ, સોમ પ્રદોષ વ્રતના દિવસે ધૃતિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરવી જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે ભકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો આવો જાણીએ સોમ પ્રદોષ વ્રતની પૂજા વિધિ, ઉપાય અને શુભ મુહૂર્ત...

પ્રદોષ કાળનો સમય

ભગવાન શિવની પૂજા નિશીથ કાળ એટલે કે રાત્રિના સમયે કરવામાં આવે છે. તેવી સ્થિતિમાં સોમ પ્રદોષ વ્રત પર શિવપૂજન માટેનું શુભ મુહૂર્ત સાંજના 07:22 વાગ્યાથી 09:23 વાગ્યા સુધી રહેશે. આ બંને કલાકો દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી ફળદાયી સાબિત થાય છે. પંચાંગ અનુસાર, ધૃતિ યોગ બપોરના 01:17 વાગ્યા સુધી રહેશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરના 03:16 વાગ્યાથી લઈને 24 જૂનની સવારે 05:25 સુધી રહેશે.

lord-shiva-6

પૂજા વિધિ

  • સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.
  • પછી શિવ પરિવાર સહિત અન્ય દેવીઓ-દેવતાઓની પૂજા કરવી.
  • જો વ્રત રાખી રહ્યા હોવ તો હાથમાં પવિત્ર જળ, ફૂલ અને ચોખા લઈને વ્રત રાખવાનો સંકલ્પ કરવો.
  • પછી સાંજના સમયે ઘરના મંદિરમાં ગોધૂલિ વેળાએ દીવો પ્રગટાવવો.
  • પછી શિવ મંદિરમાં કે ઘરમાં ભગવાન શિવની જળાભિષેક કે રુદ્રાભિષેક કરીને પૂજા-અર્ચના કરવી.
  • ત્યારબાદ સોમ પ્રદોષ વ્રત કથા કહેવી.
  • અંતે પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન શિવની આરતી કરવી અને પૂજામાં કોઈ પણ પ્રકારની ભૂલ માટે ક્ષમાયાચના કરવી.
  • આ પછી ભાવિક શિવ ગાયત્રી મંત્રનો પણ જપ કરી શકે છે. સાથે સાથે શિવ આરોગ્ય મંત્ર અને શિવ સ્તુતિ મંત્ર પણ પઠન કરી શકે છે.
lord-shiva

સોમ પ્રદોષ વ્રતના લાભો

  • આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
  • શિવજી વ્રતકર્તાની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
  • કુટુંબમાં સુખ-શાંતિ અને પ્રેમ વધે છે.
  • દર્દ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે.
  • શિવ ભક્તિને કારણે આધ્યાત્મિક લાભ મળે છે.
lord-shiva-2

ધાર્મિક દ્રષ્ટિએ ખાસ સૂચન

  • પૂજા દરમિયાન શુદ્ધતા અને એકાગ્રતા જાળવવી ખૂબ જરૂરી છે.
  • પૂજાની સાથે ઉપવાસ રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  • જો સંપૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો ફળાહાર કરી શકાય છે.
  • સાંજના સમયે શિવ મંદિરમાં જઈ પૂજા કરવી વધારે શ્રેષ્ઠ હોય છે.

વધુ વાંચો : નારોલમાં સોમનાથ મહાદેવનું મંદિર, જ્યાં ધુણાની રાખથી ચામડીના રોગો થાય છે દૂર

સોમ પ્રદોષ વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એક અતિશય શક્તિશાળી દિવસ માનવામાં આવે છે. શુભ મુહૂર્તમાં શ્રદ્ધાપૂર્વક પૂજા અને ઉપવાસથી ભાવિકની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં શાંતિ, સમૃદ્ધિ તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monday remedies oma Pradosh Vrat Lord Shiva
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ