ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:03 AM, 23 June 2025
ADVERTISEMENT
આષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે એટલે કે આજે 23 જૂનના રોજ સોમ પ્રદોષ વ્રત મનાવવામાં આવી રહ્યું છે. આ તિથિ અને દિવસ ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. સોમવારના દિવસે પ્રદોષ વ્રતના કારણે તેને 'સોમ પ્રદોષ વ્રત' કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
હિન્દુ પંચાંગ મુજબ, સોમ પ્રદોષ વ્રતના દિવસે ધૃતિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરવી જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે ભકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો આવો જાણીએ સોમ પ્રદોષ વ્રતની પૂજા વિધિ, ઉપાય અને શુભ મુહૂર્ત...
પ્રદોષ કાળનો સમય
ADVERTISEMENT
ભગવાન શિવની પૂજા નિશીથ કાળ એટલે કે રાત્રિના સમયે કરવામાં આવે છે. તેવી સ્થિતિમાં સોમ પ્રદોષ વ્રત પર શિવપૂજન માટેનું શુભ મુહૂર્ત સાંજના 07:22 વાગ્યાથી 09:23 વાગ્યા સુધી રહેશે. આ બંને કલાકો દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી ફળદાયી સાબિત થાય છે. પંચાંગ અનુસાર, ધૃતિ યોગ બપોરના 01:17 વાગ્યા સુધી રહેશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરના 03:16 વાગ્યાથી લઈને 24 જૂનની સવારે 05:25 સુધી રહેશે.

ADVERTISEMENT
પૂજા વિધિ
ADVERTISEMENT

સોમ પ્રદોષ વ્રતના લાભો
ADVERTISEMENT

ADVERTISEMENT
ધાર્મિક દ્રષ્ટિએ ખાસ સૂચન
વધુ વાંચો : નારોલમાં સોમનાથ મહાદેવનું મંદિર, જ્યાં ધુણાની રાખથી ચામડીના રોગો થાય છે દૂર
સોમ પ્રદોષ વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એક અતિશય શક્તિશાળી દિવસ માનવામાં આવે છે. શુભ મુહૂર્તમાં શ્રદ્ધાપૂર્વક પૂજા અને ઉપવાસથી ભાવિકની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં શાંતિ, સમૃદ્ધિ તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો