બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dhanteras 2023: Durlabh sayog after 59 years will affect these 5 rashis

જ્યોતિષ શાસ્ત્ર / ધનતેરસના દિવસથી આ 5 રાશિના જાતકો માટે ખજાનો ખોલશે કુબેર, 59 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ

Vaidehi

Last Updated: 05:12 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે ધનતેરસનાં દિવસે 59 વર્ષો બાદ ગ્રહોનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેની અસર આ 5 રાશીનાં જાતકો પર પડશે.

  • ધનતેરસનાં દિવસે બની રહ્યો છે દુર્લભ સંયોગ
  • 59 વર્ષો બાદ બની રહ્યો છે ગ્રહોનો આ યોગ
  • 5 રાશિનાં જાતકોને ખૂબ લાભ થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે ધનતેરસનાં દિવસે ગ્રહોનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ જાણકારો કહે છે કે આ વખતે ધનતેરસ પર શનિદેવ પોતાની પ્રિય રાશિ કુંભમાં 30 વર્ષો બાદ હાજર રહેશે. આ સિવાય સૂર્યદેવ તુલા રાશિમાં, શુક્ર દેવ કન્યા રાશિમાં અને ગુરુ મેષ રાશિમાં વિરાજમાન થશે. જ્યોતિષકારો અનુસાર ગ્રહોની આવી સ્થિતિ 59 વર્ષો બાદ બની રહી છે. આ દુર્લભ સંયોગથી 5 રાશિઓનાં જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે.

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ પર બનતા આ દુર્લભ સંયોગથી મેષ રાશિનાં જાતકોને વિશેષ લાભ મળશે. ધનતેરસથી મેષ રાશિવાળાઓની જિંદગીમાં મોટા ફેરફારો આવશે. આ સમયગાળા દરમિયાન કરિયરમાં જબરદસ્ત ઉન્નતિ જોવા મળશે. આ સિવાય મેષ રાશિવાળા લોકો જ્યાં પણ રોકાણ કરશે તેમને લાભ પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યને લઈને પણ ગ્રહોનો દુર્લભ સંયોગ શુબ સાબિત થશે.

મિથુન રાશિ
જ્યોતિષકારો અનુસાર ધનતેરસ પર બનતા ગ્રહોનો શુભ સંયોગ મિથુન રાશિવાળા લોકો માટે ફાયદાકારક રહેશે. ગ્રહોનાં શુભ પ્રભાવથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. સૂર્યદેવ જ્યાં નોકરીમાં ઉન્નતી કરાવશે ત્યાં શુક્રદેવની કૃપાથી ઐશ્વર્ય પણ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ
ધનતેરસ પર જે ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે તે સિંહ રાશિનાં જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. ગ્રહોનાં વિશેષ યોગથી વિવાહનો પ્રસ્તાવ મળશે. આ સિવાય ગ્રહોનો આ યોગ શુભ સંયોગ દાંપત્ય જીવન માટે શુભ રહેશે. આ દરમિયાન શુક્રદેવની કૃપાથી વૈવાહિક જીવનમાં ગાઢતા વધી શકે છે.

મકર રાશિ
મકર રાશિવાળા લોકો માટે ધનતેરસનો દિવસ અને તેની આગળનો કેટલોક સમય આર્થિક લાભની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો છે. જ્યારે ધનતેરસ પર ગ્રહોનો દુર્લભ સંયોગ બને છે તો મકર રાશિનાં લોકોનાં સારા દિવસો શરૂ થઈ જશે. બિઝનેસમાં આર્થિક સ્થિતિ પણ સુદ્રઢ થશે. નોકરીવાળા લોકોને પ્રમોશન મળી શકે છે.  

કુંભ રાશિ
કુંભ રાશિનાં જાતકોને ધનતેરસનો આ યોગ લાભકારી અને મંગળકારી સાબિત થઈ શકે છે. આ દિવસે જે કોઈ નવા વેપારની શરૂઆત કરશે તેનાથી ધનલાભ થશે. લાંબા સમયથી અટકાયેલું કામ પૂરું થશે.  બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે જેનાથી ધનલાભ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ