બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / ગુણસદા ગામે બિરાજે હનુમાનદાદા, વડના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટ બજરંગબલીની મૂર્તિ

દેવ દર્શન / ગુણસદા ગામે બિરાજે હનુમાનદાદા, વડના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટ બજરંગબલીની મૂર્તિ

Dinesh Chaudhary

Last Updated: 06:00 AM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોકડિયા હનુમાનજીનું મંદિર સોનગઢથી પાંચ કિલોમીટરના અંતરે ગુણસદા ગામે આવેલું છે. રોકડિયા હનુમાનજીનું મંદિર ભાવિક ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતિક છે

તાપી જિલ્લાના સોનગઢમાં ગુણસદા ગામે અતિ પૌરાણિક રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલુ છે. પૌરાણિક દેવસ્થાનોમાંનું એક રોકડિયા હનુમાનજીનું મંદિર લોકોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે સાચા ભાવથી માંગવામાં આવતી મનોકામના રોકડિયા હનુમાન દાદા અચૂક પૂર્ણ કરે છે. તાપી કુદરતના ખોળે વસવાટ કરતો જિલ્લો છે. અહીં અનેક અતિ પૌરાણિક દેવસ્થાનો અને ધાર્મિક સ્થળો આવેલા છે. તેમાંનું એક દેવસ્થાન એટલે પૌરાણિક રોકડીયા હનુમાનજીનું મંદિર. રોકડિયા હનુમાનજીનું મંદિર સોનગઢથી પાંચ કિલોમીટરના અંતરે ગુણસદા ગામે આવેલું છે. ભાવિક ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતિક છે રોકડિયા હનુમાનજીનું મંદિર. દર શનિવારે દાદાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડે છે. સાચા ભાવથી માંગવામાં આવેલી માનતા રોકડિયા હનુમાન દાદા અચૂક પૂર્ણ કરે છે તેવી અતૂટ માન્યતા છે. જેને પગલે તાપી જિલ્લા સિવાય દૂરદૂરથી ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દાદા દરેક ભાવિકોની માનતા પૂર્ણ કરે છે જેના પગલે ભાવિક ભક્તોમાં રોકડિયા હનુમાનજીનું મંદિર શ્રદ્ધાની સાથે એક આસ્થાનું પ્રતીક બન્યું છે.

d 1

સોનગઢના ગુણસદા ગામે હનુમાનજી બિરાજમાન

મંદિરે હનુમાનજીના દર્શન કરી અલૌકિક શાંતિની અનુભૂતિ ભક્તોજનોને થાય છે. રોકડિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે. અને ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર પણ આવેલું છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ શનિદેવ મહારાજની સાથે મહાદેવના દર્શન અને જળ અભિષેક કરી આશીર્વાદ મેળવે છે. અહીં દર્શન કરવા આવતા ભાવિકભક્તોની મનોકામના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે વર્ષોથી ચાલતી સવામણી ચઢાવવાની પરંપરા પ્રમાણે સવામણ લાડુ કે સવામણ અન્ય કોઈપણ મીઠાઈ દાદાને અર્પણ કરે છે. રોકડીયા હનુમાનજીનું મંદિર આશરે 150 વર્ષથી વધુ જૂનું મંદિર છે. મંદિર માટે એક લોકવાયકા છે કે હનુમાનજી દાદા પાસે ભક્તો જે કોઈ મનોકામના ઈચ્છે છે તે માનતા દાદા રોકડમાં જ પૂર્ણ કરે છે અને એટલે જ આ મંદિર રોકડિયા હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા એક દાદા મંદિરમાં સેવા કરતા હતા અને સેવા કરવા દરમિયાન તેમને દરરોજ એક રોકડો સિક્કો મંદિરના પ્રાંગણમાંથી મળતો હતો જેના પગલે પણ આ મંદિરને રોકડિયા હનુમાનજીનું મંદિર કહેવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં આવેલા વડના ઘટાદાર વૃક્ષમાંથી જ સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હોવાની લોકવાયકા છે અને ઘણા લોકોને હનુમાન દાદાના ચમત્કારી દર્શન પણ થયા છે જેને પગલે દર્શનાર્થીઓમાં દાદાનું મંદિર એક આસ્થાનું પ્રતિક છે. આજે પણ મંદિરના પાછળના ભાગમાં આવેલા ઘટાદાર વડના વૃક્ષની ડાળીમાંથી જ હનુમાનજીનો સ્વયં પ્રગટ થયાનો અહેસાસ ભક્તજનો કરે છે

d 2

રોકડિયા હનુમાનજીના દર્શન કરવા દૂરદૂરથી દર્શનાર્થીઓ આવે છે

મંદિરે આવતા દર્શનાર્થીઓ પણ મંદિરે ભંડારો કરે છે અને ભાવિકોને જમાડી પુન્યનું ભાથુ બાંધી લે છે. આવનારા 2037 ના વર્ષ સુધી હનુમાન જયંતી નિમિત્તે કરવામાં આવતા ભંડારા એડવાન્સમાં બુકિંગ થઈ ચૂક્યા છે. આજ ભાવિકોની અતૂટ આસ્થાનું પ્રમાણ છે. રોકડિયા હનુમાનજીના દર્શન કરવા દૂરદૂરથી દર્શનાર્થીઓ આવે છે. તાપી જિલ્લામાં કુદરતી સૌંદર્ય માણવા માટે અનેક સ્થળો આવેલા છે. ચોમાસાની ઋતુમાં તાપી જિલ્લાનો જંગલ વિસ્તાર સોળેકળાએ ખીલી ઉઠે છે અને સમગ્ર જંગલમાં લીલી છમ ચાદર પથરાઈ જાય છે. જિલ્લાના જંગલ વિસ્તારોમાં અનેક પૌરાણિક દેવસ્થાનો આવેલા છે. જ્યાં દૂરદૂરથી ભક્તજનો ભગવાનના દર્શન કરવા આવે છે. દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતાનો અનુભવ તો કરે છે સાથે સાથે કુદરતના ખોળે શાંતિની અનુભૂતિ કરી સકારાત્મક ઉર્જા સાથે ઘરે જાય છે.

d 3

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rokadia Hanumanji Dev Darshan Rokadia Hanumanji Temple
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ