બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / એરાલ ગામે બિરાજમાન એરાઈ મા, 2000 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો જાણો રોચક ઈતિહાસ

દેવ દર્શન / એરાલ ગામે બિરાજમાન એરાઈ મા, 2000 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો જાણો રોચક ઈતિહાસ

Last Updated: 06:00 AM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંમહાલ જિલ્લામાં એરાઈ માતાનું મંદિર વર્ષો પુરાણુ છે, કહેવાય છે કે એરાઈ માતા અને વેરાઈ માતા બંને બહેનો છે એરાઈ માતાનું મંદિર ગામથી એક કિલોમીટર દૂર ટોચ પર આવેલું છે.

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એરાલ ગામે વર્ષો પહેલાથી સ્થાપિત થયેલું એરાઈ માતાજીનું મંદિર આવેલું છે. ગાઢ જંગલ અને પાંચ ટેકરીઓની વચ્ચે આવેલુ એરાઈ માતાજીનું મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનું કહેવાય છે. સિંધિયા રાજા અને વડવાઓ વચ્ચેના ઘર્ષણના કારણે નવુ ગામ એરાલ વસ્યુ જેનુ નામ એરાઈ માતાજીના નામ પરથી રાખવામાં આવ્યુ હતુ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં એરાલ ગામેં રળિયામણુા વનવિસ્તાર અને ડુંગરના પથ્થરો પર એરાઈ માતાજીનું મંદિર આવેલું છે.વેજલપુરથી 8 કિલોમીટર એરાલ ગામે માતાજીનુ સુંદર મંદિર આવેલું છે.ગાઢ જંગલ અને 5 ટેકરીઓની વચ્ચેની ટેકરી પર આવેલું એરાઈ માતાજીનુ મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનું કહેવાય છે.

કાલોલના એરાલ ગામમાં બિરાજતા માતાજી

પંચમહાલ જિલ્લાના જંગલ વિસ્તારમાં રાજાઓના શાસનકાળ દરમ્યાન કાલોલ તાલુકાનું એરાલ ગામ બારીયા તાલુકાની હદમાં નહોતુ. દેવગઢ બારીયાના રાજાએ બારીયા છોડીને એરાલ ગામ વસાવ્યું હતું એરાઈ માતાને દેવગઢબારિયામાંથી લાવીને એરાલ ગામમાં વસાવા માટે વડવાઓને સ્વપ્ન આવ્યું હતું અને માતાજીને બારીયાથી લાવતા ગામના પ્રવેશ નજીક પાંચ ટેકરીઓ આવેલી છે ત્યાંથી એરાઈ માતા અંદર પ્રવેશ કરવાની મનાઈ કરતા તેમને ટેકરી પર જ સ્થાપિત કરવામાં આવ્યા હતા. એરાઈ માતાજીનુ મંદિર 2000 વર્ષ જૂનૂ મંદિર છે વર્ષો પુરાણા એરાઈ માતાના નામથી ઓળખાતા મંદિરના નામ પરથી એરાલ ગામનું નામ પાડવામાં આવ્યું છે.એરાલ ગામમાં વર્ષોથી તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. જેમની રક્ષક માં એરાઈ છે.....

મંદિરના દરવાજા અગાઉ ચાંદીના હતા

વર્ષો પહેલા મંદિરના દરવાજા ચાંદીના હતા દર વર્ષે નવરાત્રીમાં બડવાની સ્ટેટમાંથી માતાજીની ચુંદડી મંદિરે આવતી હતી હાલમાં પણ રાજાના વંશજો એરાઈ માતાના દર્શન કરવા તેમજ આર્યા થી આવેલા વંશજો પણ એરાઈ માતાની સેવા પૂજા અર્ચના કરવા મંદિરે આવે છે. પંચમહાલ જિલ્લામાં એરાઈ માતાનું મંદિર વર્ષો પુરાણુ છે, કહેવાય છે કે એરાઈ માતા અને વેરાઈ માતા બંને બહેનો છે એરાઈ માતાનું મંદિર ગામથી એક કિલોમીટર દૂર ટોચ પર આવેલું છે. વર્ષો પહેલા ગામની ચારે બાજુ જંગલ વિસ્તાર હતો લોકોમાં આસ્થા વધતા મંદિરે દર્શન કરવા આવતા થયા અને જેમ જેમ દિવસો પસાર થયા તેમ વિકાસ થતો ગયો. એરાઈ માતાની સાથે સાથે આશાપુરી માતાજી અને કાલભૈરવની પણ સ્થાપના કરેલી છે.

આ પણ વાંચો: કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એટલે છોટા કાશી, જ્યાં ચારેય દિશામાંથી થાય છે શિવલિંગના દર્શન

નવરાત્રીમાં બડવાની સ્ટેટથી આવતી હતી માની ચુંદડી

એરલ ગામની અંદર આવેલું આ એરાઈ માતા નું મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર છે જેમાં વર્ષોથી મેળવડા પણ થતા હોય છે ભાદરવા મહિનાનો મેળો અત્યંત મહત્વનો ગણવામાં આવે છે આ મેળામાં આજુબાજુ વિસ્તારના લોકો મેળામાં ખરીદ વેચાણ કરવા પણ આવતા હોય છે મેળાની વિશેષતા એ છે કે વર્ષોથી મેળામાં વેચાણ કરવા વાળા લોકો ભરપેટ કમાણી કરીને જતા હોય છે. મેળાના દિવસે વરસાદના અચૂક અમીછાંટણા વરસતા હોય છે વર્ષો જૂની આસ્થા ભાદરવા મહિનાના આ દિવસે જોવા મળે છે. મંદિરે માતાજીની દૂધની વેરાઈઓ ભરવાની બાધા પણ લેવામાં આવે છે તેમજ દરેક નાના-મોટા વેપારી રાજકારણીઓ અને અધિકારીઓ પણ માતાજીના દર્શન કરીને જ પોતાનું કાર્ય કરવા જાય છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Erai Mata Templ Panmahal Dev Darshan Dev Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ