બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / Derani Jethani's gruesome death while drying clothes on the roof of the house in Kathlal
Vishal Khamar
Last Updated: 10:59 PM, 29 September 2023
ખેડાનાં કઠલાલ તાલુકા રુઘનાથપુરામાં એક જ પરિવારની બે પુત્રવધુને કરંટ લાગતા બંને પરણીતાનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. બંને દેરાણી-જેઠાણી ધાબે કપડા સૂકવવા જતા હતા. તે દરમ્યાન અચાનક જ વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો. તો તેમની સાથે રહેલ અન્ય એક મહિલા તેઓને બચાવવા જતા તેમને પણ કરંટ લાગતા બંને પરણીતાઓનાં મોત નિપજ્યા હતા. એક જ પરિવારની દેરાણી-જેઠાણીને વીજ કરંટથી મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
જીવંત વીજ વાયરને અડી જતા મહિલાને કરંટ લાગ્યો
કઠલાલ તાકુલાનાં રૂઘનાથપુરા ખાતે રહેતા સુધાબેન દિલીપભાઈ ભોઈ અને સુરેખાબેન વિક્રમભાઈ ભોઈ બંને દેરાણી જેઠાણી છે. ત્યારે આજે બપોરનાં સુમારે એક મહિલા ઘરની છત પર કપડા સૂકવવા ગયા હતા. તે દરમ્યાન તેઓ જીવંત વીજ વાયરને અડી જતા મહિલાને કરંટ લાગતા તેઓનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા તેઓને કરંટથી બચાવવાનો પ્રયત્ન કરતા તેઓને પણ કરંટ લાગ્યો હતો.
બંને મહિલાઓ 4 સંતાનોને નોધારા મુકી ગઈ
એક જ પરિવારની બે પુત્રવધુનાં અચાનક જ મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાં બનતા પાડોશીઓ ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ બંને મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે બંને મહિલાઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. કઠલાલ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે બંને મહિલાઓ 4 સંતાનોને નોધારા મુકી ગયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime