બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / RBIનો મોટો નિયમ: EMI નહીં ચૂકવો તો 60 દિવસ બાદ ફોન-ટેબલેટ-લેપટોપ થઈ શકે છે લોક!
6 ફોટો ગેલેરી
Last Updated: 03:20 PM, 7 August 2026
1/6
લોન પર સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ ખરીદનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. જો તેઓ લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેમના ડિવાઇસ સંપૂર્ણપણે લોક થઈ શકે છે. RBIએ EMI પર ખરીદેલા ડિવાઇસને ડિસેબલ કરવા અંગેના તેના પ્રસ્તાવિત નિયમોમાં ફેરફાર કર્યા છે. અગાઉ જ્યાં 90 દિવસનો વિલંબ થયા વિના ડિવાઇસને લોક કરી શકાતું ન હતું, ત્યાં હવે આ સમયગાળો ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઇન્ડસ્ટ્રીથી મળેલા પ્રતિસાદને પગલે, કેન્દ્રીય બેંકે રિકવરી એજન્ટો માટેની માહિતી જાહેર કરવાની જરૂરિયાતોમાં પણ રાહત આપી છે.
2/6
મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય બેંકે નિયંત્રિત સંસ્થાઓની કામગીરી અને રિકવરી એજન્ટોની નિમણૂક અંગેની તેની ગાઇડલાઇનમાં સુધારો કર્યો છે. આ સુધારેલા નિયમો હેઠળ, RBIએ લેન્ડર્સને EMI દ્વારા ફાઇનાન્સ કરાયેલા મોબાઇલ ફોન, ટેબ્લેટ અને લેપટોપને તબક્કાવાર રીતે 'લોક' કરવાની મંજૂરી આપી છે. જો લોનની ચુકવણીમાં 30 થી 60 દિવસનો વિલંબ થાય, તો તે ડિવાઇસ પર ક્રમશઃ નિયંત્રણો લાદી શકાય છે. અગાઉના પ્રસ્તાવમાં લોનની ચુકવણીમાં 90 દિવસનો વિલંબ ન થાય ત્યાં સુધી આવી કાર્યવાહી કરવા પર પ્રતિબંધ હતો.
3/6
અંતિમ નિયમો અનુસાર, લોનની ચુકવણીમાં ઓછામાં ઓછા 30 દિવસનો વિલંબ ન થાય ત્યાં સુધી ધિરાણકર્તાઓ કોઈ પણ પ્રકારના પ્રતિબંધો લાદી શકતા નથી. આ ઉપરાંત, બેંકોએ ડિફોલ્ટરને ઔપચારિક નોટિસ મોકલવી આવશ્યક છે. જો ચુકવણીમાં 30 થી 60 દિવસનો વિલંબ થાય, તો બેંકો ધીમે ધીમે ડિવાઇસને લોક (lock) કરવાની દિશામાં આગળ વધી શકે છે, જોકે આ સમયગાળા દરમિયાન આઉટગોઇંગ કોલ્સને બ્લોક કરી શકાતા નથી. કરાર હેઠળના સંપૂર્ણ પ્રતિબંધો ત્યારે જ લાગુ કરી શકાય છે જ્યારે લોનની ચુકવણીમાં 60 દિવસથી વધુનો વિલંબ થયો હોય.
4/6
જોકે, RBIએ લોન લેનારાઓ માટે સુરક્ષાના ઉપાયો પણ જાળવી રાખ્યા છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, ઇનકમિંગ કોલ્સ, SMS અને ઇમરજન્સી SOS સુવિધાઓને કોઈપણ સંજોગોમાં બ્લોક કરી શકાતી નથી. RBIનું કહેવું છે કે ડિવાઇસ પરના પ્રતિબંધોને કારણે લોનની ચુકવણીમાં નિષ્ફળ રહેલા ડિફોલ્ટર્સ તેમના કામ અથવા રોજગાર-સંબંધિત પ્રવૃત્તિઓ કરવામાં અવરોધ ન આવવો જોઈએ.
5/6
લેન્ડર્સ અને તેમના સર્વિસ પ્રોવાઇડર્સ 'લોકિંગ સોફ્ટવેર' માટે ઓરિજનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર અથવા ઓપરેટિંગ સિસ્ટમ પ્લેટફોર્મ પાસેથી સર્ટિફિકેશન લેવુ જરુરી છે. જો કે, બેંકો લોનની ચુકવણીમાં ચૂક કરનાર વ્યક્તિઓના સંપર્કો , કોલ લોગ્સ, ફોટા, લોકેશન હિસ્ટ્રી અથવા SMS મેસેજ જેવા વ્યક્તિગત ડેટાને જોઈ કે મેળવી શકતી નથી. ચુકવણી પ્રાપ્ત થયાના એક કલાકની અંદર ઉપકરણને અનલોક કરવું ફરજિયાત છે; જો તેમાં વિલંબ થાય, તો ધિરાણકર્તાઓએ પ્રતિ કલાક 250 રુપિયા લેખે વળતર ચૂકવવું પડશે, જેની મહત્તમ મર્યાદા લોનની રકમ જેટલી રહેશે.
6/6
RBIએ અગાઉની તે જરુરીયાતમાં છૂટછાટ આપી છે જે હેઠળ બેંકોએ વ્યક્તિગત રિકવરી એજન્ટોની સંપૂર્ણ વિગતો સાર્વજનિક રીતે જાહેર કરવી પડતી હતી. ઇન્ડસ્ટ્રીનું કહેવુ છે કે, રિકવરી સ્ટાફમાં કર્મચારીઓની અવરજવરનો ઊંચો દર હોવાનું અને તેમના રેકોર્ડ્સ સતત અપડેટ કરવાની જરૂરિયાતને કારણે કામનું ભાર વધતું હોવાનું ધ્યાન દોર્યું હતું. આ બાબતોને ધ્યાનમાં લઈને, કેન્દ્રીય બેંકે બેંકની વેબસાઇટ્સ પર અલગ અલગ એજન્ટોના નામ અને પર્સનલ જાણકારી પબ્લિશ કરવાની શરત હટાવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ