બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Death threats against PM Modi, UP CM Yogi Adityanath surface in Noida; case registered
Hiralal
Last Updated: 06:00 PM, 5 April 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જાણકારી સામે આવતા જ નોઈડા પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
કોણ આપી પીએમ-સીએમને હત્યાની ધમકી
નોઇડાના સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં એક ન્યૂઝ ચેનલના વરિષ્ઠ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીના ચીફ ફાઇનાન્સ ઓફિસરને દેશના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત અનેક લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઇ-મેઇલ મળ્યો છે. અધિકારીની ફરિયાદને આધારે નોઈડા પોલીસે કેસ દાખલ કરીને ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ધમકી ભર્યો ઈ-મેલ મોકલનારા યુવકનું નામ કાર્તિક સિંહ જણાવવામાં આવી રહ્યું છે. આરોપીનું આઈડી [email protected] છે. સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટની કલમ 152એ (1) (બી), 505 (1) (બી), 506, 507 અને 66 ડી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નોઈડા પોલીસને મળી મહત્વની કડીઓ
નોઈડા પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસનો ટૂંક સમયમાં ખુલાસો થશે. કેટલાક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રજનીશ વર્માએ જણાવ્યું હતું કે સેક્ટર 16-એ સ્થિત એક ન્યૂઝ ચેનલના મેનેજર વિજય કુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મુજબ તેમની કંપનીના સીએફઓ કુશાન ચક્રવર્તીને એક ઇ-મેલ મોકલવામાં આવ્યો છે, જેમાં દેશના વડાપ્રધાન સહિત ઘણા મહત્વપૂર્ણ લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.પોલીસને શંકા છે કે આ પ્રકારનો ઈ-મેઈલ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સાયબર ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime