બ્રેકિંગ ન્યુઝ
VTV / DCGI panel discusses emergency use of Covaxin, Corbevax vaccines for 5-11 age group
ADVERTISEMENT
દેશમાં વધી રહેલા કોરોના કેસોમાંથી બાળકોને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. હવે 5થી 11 વર્ષના બાળકોની વેક્સિનની દિશામાં સરકાર સક્રિય થઈ છે. DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે એક મોટી બેઠક મળી હતી અને તેમાં 5થી 11 વર્ષના બાળકો માટે બાયોલોજિકલ ઈની કોર્બેવેક્સ આપવાના મુદ્દ ચર્ચા કરવામાં આવી હતી. કમિટીએ તેની બેઠકમાં 5થી 11 વર્ષના બાળકો માટે કોર્બેવેક્સની મંજૂરી આપી દીધી છે. બેઠકમાં મંજૂરી બાદ સરકારી કમિટીએ ડીસીજીઆઈને કોર્બાવેક્સિની ભલામણ કરી દીધી છે. કમિટીની ભલામણ પર ડીસીજીઆઈ ટૂંક સમયમાં નિર્ણય લેશે.
Expert panel of India's central drug authority recommends granting emergency use authorisation for Biological E's COVID-19 vaccine Corbevax for children in 5 to 11 years age group: Official sources
— Press Trust of India (@PTI_News) April 21, 2022
ADVERTISEMENT
એક્સપર્ટ કમિટીએ DCGIને મોકલી ભલામણ
ADVERTISEMENT
#BreakingNews
— DD News (@DDNewslive) April 21, 2022
An expert panel of India's central drug authority recommends granting emergency use authorization for Biological E's #COVID19Vaccine #Corbevax for children of the 5 to 11 years age group.@MoHFW_INDIA pic.twitter.com/pfJPfcbBsY
ADVERTISEMENT
વધી રહેલા કેસોની વચ્ચે બાળકોને સુરક્ષિત રાખવા મોડો પડકાર
હાલમાં દેશમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે અને આવી સ્થિતિમાં બાળકોને સુરક્ષિત રાખવા એક મોટો પડકાર છે અને તેમાંય નાના બાળકો જો વેક્સિન દ્વારા સુરક્ષિત થઈ જાય તો વધારે સારુ. આથી સરકાર ટૂંક સમયમાં 5થી 11 વર્ષના બાળકોની વેક્સિનને મંજૂરી આપશે.
ADVERTISEMENT
ટૂંક સમયમાં મળશે મંજૂરી
5થી 11 વર્ષના બાળકો માટે કોર્બેવેક્સ વેક્સિનને ટૂંક સમયમાં મંજૂરી મળશે તે નક્કી છે. બાયોલોજિકલ ઈ લિમિટેડની કોર્બેવેક્સ વેક્સિન ભારતની ત્રીજી સ્વદેશી નિર્મિત વેક્સિન છે. આ પહેલા 28 ડિસેમ્બરે ડીસીજીઆઈએ પુખ્તવયના લોકો માટે કોર્બેવેક્સને મંજૂરી આપી હતી.
12થી 14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ અપાઈ રહી છે
ADVERTISEMENT
ચાલુ વર્ષે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ આપવામાં આવી રહી છે. હાલમાં દેશમાં 12થી વર્ષથી વધુ વયના બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. કોરોના કેસમાં વધારાને ધ્યાનમાં લેતા સરકાર વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
દેશમાં વધી રહ્યાં છે કોરોના કેસ
છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વાર કોરોનાનો ડર સતાવી રહ્યો છે. કોરોનાના કેસો દિલ્હીની સ્કૂલોમાં પણ આવવા લાગ્યા છે. વધતા કેસોને જોઈને ડીડીએમએની બેઠક થઈ હતી. જેમાં દિલ્હીની સ્કૂલોને લઈને કહેવામા આવ્યું છે કે, સ્કૂલો ફરીથી બંધ કરવામાં નહીં આવે, સ્કૂલો માટે એક્સપર્ટ સાથે વાત કરીને SOP જાહેર થશે. સ્કૂલોને ચાલુ કરવા માટે વિસ્તૃત ગાઈડલાઈન ટૂંક સમયમાં જ જાહેર કરવામા આવશે. એટલે કે સ્કૂલો હવે સમગ્રપણે બંધ કરવામાં નહીં આવે. દિલ્હી સરકાર તેના પર ટૂંક સમયમાં ગાઈડલાઈન જાહેર કરશે. આ બેઠકમાં બીજા પણ અન્ય નિર્ણયો કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.