દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી પ્રભાવિત પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ બાદ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ગુરુવારે રાજકોટમાં થનારી બીજી મેચ પર ચક્રવાતનું સંકટ છે.
મેચ રમાનાર દિવસે 7 નવેમ્બરે વરસાદની શક્યતા
બંને ટીમો સોમવારે રાજકોટ પહોંચી ચુકી છે
દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી પ્રભાવિત ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ બાદ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ગુરુવારે રાજકોટમાં થનારી બીજી મેચ પર ચક્રવાતનું સંકચ છે. ચક્રવાત 'મહા'નું મેચના દિવસે જ ગુજરાતના કિનારા સાથે ટકરાય એવી શક્યતા છે, જેનાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગની નવીનતમ ભવિષ્યવાણીના અનુસાર 'મહા' પોરબંદર અને દીવની વચ્ચે ગુરુવારે સવારે 'ચક્રવાત તોફાન'ના રૂપમાં ગુજરાતના કિનારા સાથે અથડાશે. શહેરના બાકી ભાગમાં સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યાથી મેચ શરૂ થવાનો કાર્યક્રમ છે.
હાલની સ્થિતિ અનુસાર 'મહા' અરબ સાગરમાં 'અત્યંત ગંભીર ચક્રવાતીય તોફાન' અને આ પોરબંદરથી લગભગ 660 કિમીની દૂરી પર છે. ભવિષ્યવાણીના અનુસાર ગુજરાત કિનારા સાથે ટકરાતા પહેલા આ નબળું પડીને 'ચક્રવાતીય તોફાન' રહી જશે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર આ ચક્રવતી તોફાનના કારણે રાજકોટ સહિત ગુજરાતના મોટાભાગે જિલ્લામાં છ અને સાત નવેમ્બરે હળવાથી લઇને સરારશ વરસાદ પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘે પણ મોસમની ભવિષ્યવાણી પર નજર રાખેલી છે.