બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ચક્રવાત ફેંગલને કારણે ત્રણના મોત અનેક લોકોનું સ્થળાંતર, આજે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Last Updated: 07:53 AM, 2 December 2024
Weather Update: ચક્રવાત ફેંગલની અસર દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળી છે. આ સાથે પડોશી દેશ શ્રીલંકામાં પણ તેની અસર જોવા મળી હતી. ફેંગલના કારણે ભારતના ત્રણ અને શ્રીલંકાના 15 સહિત કુલ 19 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકોને સ્થાળાંતરીત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Deep Depression (Remnant of Cyclonic Storm“FENGAL”) over north coastal Tamil Nadu& Puducherry moved slowly west-northwestwards during past 06 hours, weakened into a depression and lay centred at 1730 hours IST of today, the 1st December 2024 over the same region near latitude… pic.twitter.com/xnVGUf8KNE
— ANI (@ANI) December 1, 2024
કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ
ADVERTISEMENT
જો કે હવામાન વિભાગે આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે જેમાં કેરળમાં આજે ચાર જિલ્લા મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાકીનાડા અને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશના અન્ય જિલ્લાઓ તેમજ દક્ષિણ તટીય ક્ષેત્રના નેલ્લોરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાયલસીમાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
#WATCH | Telangana: Light rain lashes parts of the Hyderabad city pic.twitter.com/kWSkRaEbM6
— ANI (@ANI) December 1, 2024
ADVERTISEMENT
ફેંગલથી પુડુચેરી સુધી ભારે વરસાદ
ચક્રવાત ફેંગલને કારણે પુડુચેરીમાં ભારે પવન સાથે ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. પુડુચેરીમાં 24 કલાકમાં લગભગ 50 સેમી વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, જેના કારણે આખું શહેર ગંભીર પૂરની ઝપેટમાં આવી ગયું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. તો અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.
ADVERTISEMENT
30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રવિવારે સવારે 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં પુડુચેરીમાં 48.4 સેમી વરસાદ નોંધાયો હતો. 1995થી 2024 દરમિયાન 24 કલાકમાં આ સૌથી વધુ વરસાદ છે. અગાઉ 31 ઓક્ટોબર 2004ના રોજ પુડુચેરીમાં 24 કલાકમાં સૌથી વધુ 21 સેમી વરસાદ પડ્યો હતો.
તમિલનાડુમાં પૂરની સ્થિતિ, હજારો અસરગ્રસ્ત
ADVERTISEMENT
તમિલનાડુના અધિક મુખ્ય સચિવ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજેશ લાખાણીએ કહ્યું કે, 'ચક્રવાત પસાર થઈ ગયો છે અને હવે અમારું ધ્યાન રાહત કાર્ય પર છે. ચક્રવાત થોડા સમય માટે અટકી ગયો હતો તેથી ઘણો વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે. મરિના, પટ્ટિનપક્કમ અને ઇલિયટ સહિત ચેન્નાઈના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT