દિલ્હીમાં થઈ રહેલી હિંસાને લઈને દેશભરમાં ભય અને ચિંતા ફેલાયેલી છે. ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમરાન ખાને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઇમારાન ખાને ટ્વીટર પર એક પછી એક પછી એલ ટ્વીટ કરીને સરકાર પર આક્ષેપ લગાવ્યા છે.
ઈમરાને ટ્વીટ કરી મોદી સરકાર પર કટાક્ષ કર્યો
પાકિસ્તાનના નાગરીકોને ચેતવણી આપી
ભારતના 20 કરોડ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે
ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, આજે અમે જોઈ રહ્યાં છીએ કે, અબજથી વધારે લોકોની વસ્તી ધરાવતા પરમાણુંશક્તિથી સંપન્ન ભારત નાઝીવાદથી પ્રેરિત RSSની વિચારધારાથી ચાલી રહ્યો છે. જ્યારે પણ નક્સલવાદી વિચારધારા પર નફરત ફેલાય છે.
વડાપ્રધાન ઈમરાન ખાને દિલ્હી હિંસાને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતાં. ત્યાર બાદ ઈમરાન ખાને દિલ્હી હિંસા દરમિયાન ભારતને પોતાના દેશના અલ્પસંખ્યકોને સુરક્ષા પુરી પાડવાની વણજોઈતી સલાહ આપી છે.
Today in India we are seeing the Nazi-inspired RSS ideology take over a nuclear-armed state of over a billion people. Whenever a racist ideology based on hatred takes over, it leads to bloodshed.
અન્ય એક ટ્વિટમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા સંબોધનમાં મે કહ્યું હતું કે, જ્યારે જિન બોટલમાંથી બહાર આવશે ત્યારે ખુનખરબાનો સમય શરૂ થશે. કાશ્મીર તો માત્ર એક શરૂઆત હતી. હવે ભારતના 20 કરોડ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મામલે તુરંત પગલા લેવા જોઈએ.
As I had predicted in my address to UN GA last yr, once the genie is out of the bottle the bloodshed will get worse. IOJK was the beginning. Now 200 million Muslims in India are being targeted. The world community must act now.
ઈમરાન ખાને માત્ર કટાક્ષ કરતા પોતાના દેશની અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કહ્યું હતું કે, હું મારા દેશના તમામ નાગરિકોને ચેતવણી આપુ છું કે, પાકિસ્તાનમાં જો કોઈ બિન-મુસ્લીમ વ્યક્તિ કે તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવશે તો તેમની સાથે સખ્તાઈપૂર્વક આકરા પગલા ભરવામાં આવશે. દેશના તમામ નાગરિકો સમાન છે.
I want to warn our people that anyone in Pakistan targeting our non-Muslim citizens or their places of worship will be dealt with strictly. Our minorities are equal citizens of this country.