બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ''વૈભવ સૂર્યવંશી બની શકે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન'', દિગ્ગજના નિવેદને સૌને ચોંકાવ્યા
Last Updated: 11:03 AM, 2 August 2026
Vaibhav Suryavanshi: ૧૫ વર્ષીય ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને દુલીપ ટ્રોફી માટે પૂર્વ ઝોનના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. પૂર્વ ઝોનના પસંદગીકારોએ હવે સૂર્યવંશી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, સૂર્યવંશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરી લીધો છે.
ADVERTISEMENT
૨૦૨૬ની દુલીપ ટ્રોફી ૨૩ ઓગસ્ટથી શરૂ થવાની છે. વૈભવ સૂર્યવંશીને દુલીપ ટ્રોફી માટે પૂર્વ ઝોનના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિકેટકીપર ઇશાન કિશન કેપ્ટન છે. ૧૫ વર્ષીય ઓપનર તેના પ્રભાવશાળી આઇપીએલ ડેબ્યૂ પછી ખૂબ જ ધ્યાન ખેંચી રહ્યો છે અને તે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જોકે અભિમન્યુ ઈશ્વરન અને મોહમ્મદ શમી જેવા પૂર્વ ઝોન ટીમના અનુભવી ખેલાડીઓ હોવા છતાં રેડ-બોલ પ્રાદેશિક ટુર્નામેન્ટમાં સૂર્યવંશીની ઉપ-કેપ્ટન તરીકે નિમણૂકથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા.
જો કે પૂર્વ ઝોનના પસંદગીકારોએ તેમના નિર્ણયનો બચાવ કર્યો છે. પ્રવંજન મુલ્લિકએ તો ત્યાં સુધી કહ્યું કે સૂર્યવંશી એક દિવસ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બની શકે છે. સૂર્યવંશીએ બિહાર માટે અત્યાર સુધીમાં આઠ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે. આ વર્ષે અંડર-૧૯ વનડે વર્લ્ડ કપમાં તે ઉપ-કેપ્ટન હતો. તે બિહારના ઉપ-કેપ્ટન તરીકે રહી ચુક્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની યૂથ સીરીઝમાં સૂર્યવંશીએ કેપ્ટનશીપ કરી હતી.
ADVERTISEMENT
"વૈભવ સૂર્યવંશીની ટીમની કપ્તાની..."
ઓડિશાના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન પસંદગીકાર-કોચ પ્રવંજને ક્રિકઇન્ફોને જણાવ્યું હતું કે, "ઈશાન કેપ્ટન અને વિકેટકીપર તરીકે રમતના દરેક તબક્કામાં સામેલ છે. આનાથી વૈભવને ટીમના કેપ્ટનશીપની જવાબદારી આપ્યા વિના નેતૃત્વને સમજવાની તક મળશે. અમે ઇચ્છીએ છીએ કે સૂર્યવંશી પ્રગતિ કરે; કદાચ એક દિવસ તે ભારતનો કેપ્ટન પણ બની શકે. તેને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવા પાછળનો આ વિચાર છે." અન્ય પસંદગીકાર મનીષ વર્ધનએ પ્રવંજનને સમર્થન આપતા કહ્યું કે આ નિર્ણય યુવા ઓપનરને નેતૃત્વની નજીકથી સમજ મેળવવામાં મદદ કરવાનો હતો.
ADVERTISEMENT
ઈશાનની ગેરહાજરીમાં આવું થશે નહીં
પૂર્વ ઝોન પસંદગી સમિતિમાં ઝારખંડના પ્રતિનિધિ મનીષે કહ્યું, "અમે ફક્ત આજ વિશે વિચારી રહ્યા નથી. એક ઉપ-કેપ્ટનને કેપ્ટનને નજીકથી જોવાની અને ટીમ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાની તક મળે છે. અમે ઇચ્છતા હતા કે વૈભવ ગૃપ સાથે વધુ સંકળાયેલો રહે કારણ કે અમારું માનવું છે કે તે તેને ડેવલપ થવામાં મદદ મળશે. તે ખૂબ પ્રતિભાશાળી ક્રિકેટર છે અને સતત પરિપક્વ થઈ રહ્યો છે. તેને આ જવાબદારી આપવી એ પ્રક્રિયાનો બીજો ભાગ છે." જોકે મનીષે સ્પષ્ટતા કરી કે જો ઇશાન હાજર ન હોય તો સૂર્યવંશી કાર્યકારી કેપ્ટન બનશે તે જરૂરી નથી. પસંદગીકારોએ જણાવ્યું હતું કે એક અનુભવી ખેલાડી કાર્યકારી કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે, અને સૂર્યવંશી ઉપ-કેપ્ટન રહેશે. તેમણે કહ્યું, "ઉપ-કેપ્ટનની ભૂમિકા સ્થિતિ વિશે નથી, તે એક યુવાન ખેલાડી કેપ્ટન સાથે કામ કરીને શું શીખી શકે છે તે વિશે છે."
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જુઓ ક્યાં-ક્યારે જોઇ શકશો LIVE
ADVERTISEMENT
ઈસ્ટ ઝોન સ્ક્વોડ: ઈશાન કિશન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઈસ-કેપ્ટન), શાહબાઝ અહેમદ, સૂરજ સિંધુ જયસ્વાલ, મોહમ્મદ શમી, મુકેશ કુમાર, કુમાર કુશાગ્ર, શિક્ઝાર મોહન, અનુકુલ રોય, વિરાટ સિંહ, સુભ્રાંશુ સેનાપતિ, ડેનિશ દાસ, અભિજીત સરકાર, અભિમન્યુ ઇશ્વરન, સુદીપ કુમાર ધરામી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.