બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Malay
Last Updated: 09:43 AM, 4 March 2023
વડોદરાના માણેજા વિસ્તારમાં એક વૃદ્ધા પર ગાયે હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધાને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. વૃદ્ધાના મોતથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા ગાયના માલિકની ધરપકડ કરવામાં આવી છે. મકરપુરા પોલીસે વરણામાંથી ગાયના માલિક કરણ રબારીની ધરપકડ કરી છે. કરણ રબારીની ધરપકડ કરીને મકરપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધાએ ગુમાવ્યો હતો જીવ
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. રસ્તા પર ઠેર ઠેર અડિંગો જમાવી દેતા વાહનચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છો, તો રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. અનેકવાર તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો, પ્રજા રજૂઆતો કરીને થાકી પરંતુ હજી સુધી સ્થિતિ એની એજ જોવા મળી રહી છે. પરિણામે દિવસ જાય તેમ રખડતા પશુઓને કારણે પરિવારે વ્હાલસોયાને ગુમાવવાનો વારો આવે છે. ત્યારે ગઈકાલે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
બપોરના સમયે ગાયે કર્યો હતો હુમલો
ગતરોજ બપોરના સમયે વડોદારના માણેજા વિસ્તારમાં આવેલા હાઉસિંગના મકાનમાં રહેતા ગંગાબેન પરમાર નામના વૃદ્ઘા પંચરત્ન સોસાયટીમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન એક ગાયે ગંગાબેન પર હુમલો કર્યો હતો. ગાયે વૃદ્ઘાને ગોથે ચડાવતા તેઓ જમીન પર પટકાઇ ગયા હતા અને ગાય વારંવાર તેમના પર હુમલો કરી રહી હતી. ગાયે કરેલા હુમલાથી વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજા થવાથી વૃદ્ધાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો એકઠાં થઇ ગયા હતા અને ગાયને વૃદ્ધાથી દૂર કરી હતી.
સ્થાનિકોએ કર્યા હતા આક્ષેપો
જે બાદ રહીશોએ મનપા કમિશનર ન આવે ત્યાં સુધી મૃતદેહ હટાવવાનો ઈન્કાર કર્યો હતો. આ બાબતે પંચરત્ન સોસાયટીના રહીશોએ આરોપ લગાવ્યો હતો કે પંચરત્ન સોસાયટી પાસે ગેરકાયદેસર ઢોરવાડો બાંધી દીધો છે. રસ્તામાં ઢોરવાડો બાંધીને મોટી સંખ્યામાં ઢોર રાખવામાં આવી રહ્યા છે. વૃદ્ધાના મોત બાદ કોર્પોરેશને ગેરકાયદેસર ઢોરવાડા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મૃતક વૃદ્ધાના પુત્ર અને પુત્રીએ ન્યાય માંગ કરી છે.
કડક કાર્યવાહીના આપ્યા હતા આદેશ
અનેક રજૂઆતો છતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનો આરોપ મૃતકના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગાય માલિક વિરૂદ્ધ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે પોલીસ સ્તરે કાર્યવાહીનાં આદેશ પણ કરવામાં આવ્યા છે. તેમજ સ્થળની આસપાસના તમામ ઢોરવાડા દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે અને ગાય માલિકના ઘરના વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા પણ આદેશ કરી દેવામાં આવ્યો છે. જોકે, હવે મકરપુરા પોલીસે વરણામાંથી ગાયમાલિક કરણ રબારીની ધરપકડ છે.
સળગતા સવાલ
- ગાયના માલિક વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે?
- ગાય માલિકે ગાયને રસ્તા પર કેમ છોડી દીધી હતી?
- રાજ્યમાં પશુના કારણે હજુ કેટલા લોકોના જીવ જશે?
- વૃદ્ધાનો જીવ ગયો તે ગાય માલિકને દેખાશે?
- તમારા પશુના કારણે બીજા લોકોને હેરાની થઈ રહી છે તે તમે ક્યારે સમજશો?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime