જબરદસ્ત બેટિંગ માટે જાણીતા સહેવાગ ક્રિકેટથી રિટાયરમેન્ટ બાદ પોતાના હ્યુમર અને રોચક ટ્વિટ્સ માટે ઓળખાય છે. આજે જ્યારે હનુમાન જયંતી હતી તો એ કેમ પાછળ રહી શકે. એમને હનુમાન ચાલીસા પોતાના અંદાજમાં કહી છે.
વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે હનુમાન જયંતી પર એક વીડિયો શેર કર્યો છે
એમને આ વીડિયોમાં હનુમાન ચાલીસા પર જે કહ્યું એ કોરોના વાયરસને લઇને કહ્યું છે
એમને ભગવાન હનુમાનને કોરોના ખતમ થાય એની અપીલ પણ કરી છે
હાલમાં સમગ્ર દુનિયામાં કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે. એવા સમયે પણ લોકો અલગ અલગ રીતે હનુમાન જયંતી નિમિત્તે વિશ કર્યું. ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે આ પ્રસંગે એક ખાસ વીડિયો ટ્વિટર પર અપલોડ કર્યો છે. એમને હનુમાન ચાલીસા કહેતા દેશવાસીઓને શુભેચ્છા તો પાઠવી સાથે સાથે ભગવાન હનુમાનને કોરોના ખતમ થાય એ માટે અપીલ પણ કરી.
પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચ્યુરી માટે મુલ્તાન કહેવાતા આ ક્રિકેટરે કેપ્શનમાં લખ્યું ભોલે કે ભક્ત, હનુમાન જી ના ચેલા, સબ કુછ જીત લેંગે અકેલે...સંકટ કટે મિટે સબ પીડા, જો સુમિરે હનુમત બલબીરા...જય બજરંગબલી...ફેન્સને વીરુનો આ અંદજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો જવાબમાં જય શ્રીરામ જય હનુમાન લખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જબરદસ્ત બેટિંગ માટે જાણીતો સહેવાર ક્રિકેટથી રિટાયરમેન્ટ બાદ પોતાના હ્યુમર અને રોચક ટ્વિટલ માટે ઓળખાય છે. આજે જ્યારે હનુમાન જયંતિ હતી તો એ કેમના પાછળ રહી શકે.