બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

આ ખબર પ્રમાણે માનીએ તો તમામ ટીમના વિદેશીઓ ખેલાડીને 14 દિવસ સુધી ટીમોથી અલગ રાખવા માટે તૈયાર છે. IPL ટીમો ભારત સરકારની એ ટ્રાવેલ એડવાઈઝરીને માનવા તૈયાર છે જેમાં કહેવાયું છે કે વિદેશથી આવનારા લોકોને પહેલાં 14 દિવસો સુધી અલગ રખાશે. જો કે હાલમાં સરકારે 31 માર્ચ સુધી વિદેશીઓની ભારત આવવા પર રોક લગાવાઈ છે.
ADVERTISEMENT

IPL ટીમો વિદેશી ખેલીડાઓને અલગ રાખશે
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર IPLના એક અધિકારીએ કહ્યું છે કે તમામ ટીમો વિદેશી ખેલાડીઓને 14 દિવસો સુધી અલગ રાખવા તૈયાર છે. અધિકારીએ કહ્યું તે નવા દિશા-નિર્દેશો અનુસાર કેટલાંક દેશોમાંથી આવનારા ખેલાડીઓને પહેલા 14 દિવસ સુધી અલગ રાખવામાં આવશે અને જો 31 માર્ચ બાદ પણ તે યથાવત્ રહે છે તો અમારા માટે આ કોઈ મુદ્દો નથી. આવામાં જો ભારત સરકાર તરફથી મંજૂરી મળે છે તો વિદેશી ખેલાડીઓને વિઝા અપાય છે તો અમે તે ખેલાડીઓને પહેલા 14 દિવસો સુધી અલગ રાખવા માટે તૈયાર છે.

ADVERTISEMENT
IPLનું આયોજન મુશ્કેલ
જો કે આમ તો IPLનું આયોજન મુશ્કેલ નજરે પડી રહ્યું છે. હકીકતમાં કોરોના વાયરસ સતત વધી રહ્યો છે. ભારતમાં આ કારણથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે દુનિયાભરમાં 7000થી વધુ લોકો આ મહામારીનો શિકાર થઈ ચૂક્યાં છે. આવામાં મુશ્કેલ છે કે ઈન્ડિય પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન થાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.