બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / corona-cases-were-found-in-karnataka-more-than-22-thousand-patients-in-bengaluru-alone
Nirav
Last Updated: 09:16 PM, 28 April 2021
દક્ષિણ ભારતના એક મોટા રાજ્ય ગણાતા કર્ણાટકમાં આજે કોરોનાના 39047 નવા કેસ નોંધાયા છે. રાજધાની બેંગાલુરુ શહેર કોરોનાનો નવો ગઢ બની રહી છે, એકલા બેંગાલુરુમાં 22 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં અહીં કુલ 2,25,964 કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોના કુલ કેસની સંખ્યા 14.39 લાખને પાર પહોંચી ગઈ છે. અગાઉ, મંગળવારે કર્ણાટકમાં 31 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. પ્રોટોકોલ. રાજ્યમાં હાલમાં કોરોના કેસને અંકુશમાં રાખવા માટે 14 દિવસના લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.
કર્ણાટકમાં અમલી છે 14 દિવસનું લોકડાઉન
મહત્વનું છે કે કર્ણાટકમાં કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા 14 દિવસના લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી યેદીયુરપ્પા પોતે બે વાર સંક્રમિત થઈ ચૂક્યા છે, આ દરમિયાન રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી આર અશોક દ્વારા જાણકારી આપવામાં આવી હતી, કે બેંગાલુરુમાં 2000 થી 3000ની આસપાસ એવા સંક્રમિત લોકો છે, કે જેઓ ક્યાંક ચાલ્યા ગયા છે, તેઓ ઘરે નથી અને ફોન બંધ કરીને બેઠા છે, આ મામલે તેમણે કહ્યું કે પોલીસને આવા લોકોને શોધવાના આદેશ આપી દેવાયા છે.
બીજી તરફ, ભારતમાં કોરોનાના વધતા જતા નવા કેસો પણ ચિંતાનું કારણ બની રહ્યા છે. બુધવાર સતત સાતમો દિવસ હતો જ્યારે કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, અને આ સતત 11 મો દિવસ છે, જ્યારે દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના 2.5 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 3.5 લાખથી વધુ કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3,60,960 નવા કોરોના કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આની સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા એક કરોડ 80 લાખની નજીક પહોંચી ગઈ છે. આની સાથે જ મોતનો આંકડો પણ સતત વધી જ રહ્યો છે, મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 3,293 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે, કુલ મોતની સંખ્યા વધીને 2,01,187 થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime