બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / લવજેહાદ પર રિલીઝ ફિલ્મ 'બેહદ' સામે મુસ્લિમ સમાજમાં આક્રોશ, ઈમ્તિયાઝ પઠાણે કહ્યું- 'આવી ફિલ્મો ખતરા સમાન'
Last Updated: 06:04 PM, 21 February 2026
લવ જેહાદના મુદ્દા પર આધારિત ફિલ્મ ‘બેહદ’ રિલીઝ થયા બાદ કેટલાક વિસ્તારોમાં વિરોધની લહેર જોવા મળી રહી છે. ફિલ્મ ખાસ એક સમાજને નિશાન બનાવી રજૂ કરવામાં આવી હોવાનું કહી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણે જાહેરમાં ફિલ્મ સામે વાંધો ઉઠાવતા જણાવ્યું કે આવી ફિલ્મો સમાજમાં દ્વેષ અને ગેરસમજ ફેલાવવાનો ખતરો ઉભો કરે છે. તેમના જણાવ્યા મુજબ ફિલ્મના પ્રસ્તુતીકરણથી મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે સરકારને માંગ કરી છે કે આવા વિષયો પર આધારિત ફિલ્મો બનાવતી વખતે સામાજિક સંવેદનશીલતાનો વિચાર કરવો જોઈએ.
ADVERTISEMENT
બીજી તરફ ફિલ્મના પ્રોડ્યુસરનો દાવો છે કે ‘બેહદ’ કોઈ ખાસ સમાજને ટાર્ગેટ કરતી નથી પરંતુ લવ જેહાદ જેવી સંવેદનશીલ બાબતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ છે. તેમના અનુસાર ફિલ્મમાં રજૂ થયેલી કહાની સમાજમાં બનતી કેટલીક ઘટનાઓ પરથી પ્રેરિત છે અને તેનું હેતુ માત્ર ચર્ચા ઉભી કરવાનો છે.
આ પણ વાંચોઃ વારાણસીમાં 'શ્રી રામ' બનશે મહેશ બાબુ, વાયરલ થયો લુક, હાથમાં જોવા મળ્યું ધનુષ
ADVERTISEMENT
આ મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. લવ જેહાદને લઈને સરકાર પણ સક્રિય હોવાનું જણાઈ રહ્યું છે અને સંબંધિત કાયદાકીય બાબતો પર કાર્યવાહી ચાલી રહી છે. ફિલ્મને લઈને એક તરફ સમર્થન તો બીજી તરફ વિરોધના સ્વર ઉઠતા ચર્ચાનો માહોલ ગરમાયો છે. સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે બંને પક્ષોને સંવાદ દ્વારા ઉકેલ લાવવાની જરૂરિયાત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.