બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સચિવાલયમાં ગુંજ્યો મનરેગા કૌભાંડનો મામલો, કોંગ્રેસે કરી મોટી માંગ
Last Updated: 12:05 PM, 8 September 2025
આજથી ગુજરાત વિધાનસભાનું 7 મું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થવા પામી હતી. તા. 9 અને 10 નાં રોજ વિધાનસભામાં પ્રશ્નોત્તરી સહિત અન્ય 5 વિધેયક રજૂ કરવામાં આવશે. તેમજ ઓપરેશન સિંદૂરની સફળતાના પગેલ સત્ર દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.
ADVERTISEMENT
મંત્રી બચૂ ખાબડને લઈને કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર
વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સચિવાલયમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી બચૂ ખાબડને લઈ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સત્ર દરમ્યાન કુલ 5 વિધેયક રજૂ કરાશે.
ADVERTISEMENT
કોંગ્રેસે બચૂ ખાબડની ધરપકડની માંગ કરી
ADVERTISEMENT
વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતમાં 10 હજાર કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી બચૂ ખાબડના રાજીનામાની માંગ કરી હતી. તેમજ કોંગ્રેસે બચૂ ખાબડની ધરપકડની પણ માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચોઃ 'દોડતી બાઈક પર આખો ઊંધો સુઈ ગયો' જામનગરમાં યુવાને હાઈવે પર કર્યું જીવ અધ્ધર કરનારું
ADVERTISEMENT
(વધુ વિગત અપડેક કરી રહ્યા છીએ)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.