બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લસણ કેટલાનું છે? જ્યારે શાકભાજીના માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયોમાં મોંઘવારી પર પ્રહાર
Last Updated: 11:58 AM, 24 December 2024
Rahul Gandhi : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લઈ ફરી એક સમાચાર સામે આવ્યા છે. અવાર-નવાર સામાન્ય માણસોની વચ્ચે પહોંચતા રાહુલ ગાંધી હવે શાકભાજી માર્કેટ પહોંચ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. મંગળવારે એક વીડિયો શેર કરતા તેમણે લખ્યું, લસણ એક સમયે 40 રૂપિયા હતું, આજે 400 રૂપિયા પ્રતિ કિલો છે. વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. આ સાથે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ શેર કર્યો વિડીયો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં રાહુલ ગાંધી શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચનાર પાસેથી અલગ-અલગ શાકભાજીના ભાવ પૂછી રહ્યા છે. રાહુલ સાથે મહિલાઓ પણ છે.
ADVERTISEMENT
“लहसुन कभी ₹40 था, आज ₹400!”
— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2024
बढ़ती महंगाई ने बिगाड़ा आम आदमी की रसोई का बजट - कुंभकरण की नींद सो रही सरकार! pic.twitter.com/U9RX7HEc8A
દર વર્ષે વધી રહી છે મોંઘવારી
ADVERTISEMENT
રાહુલ ગાંધીના વિડીયોમાં એક મહિલા કહે છે કે, સોનું સસ્તું થશે પણ લસણ નહીં. આ સાથે એક મહિલાએ જણાવ્યું કે, એક સમયે 30-40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતો સલગમ હવે 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. વટાણા 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. શાકમાર્કેટ ગીરી નગરનું છે. રાહુલ ગાંધીએ મહિલાઓને કહ્યું કે, દર વર્ષે મોંઘવારી વધી રહી છે. તેનાથી તમારા પર દબાણ વધશે. રાહુલે પૂછ્યું કે, શું GSTને કારણે મોંઘવારી વધી છે. તેના પર મહિલાઓએ કહ્યું કે, તેમાં ઘણો વધારો થયો છે.
વધુ વાંચો : આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ, જાણો ફરિયાદ કયાં અને કેવી રીતે નોંધાવી શકાય?
ADVERTISEMENT
નોંધનિય છે કે, દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાહુલ એક્ટિવ મોડમાં છે. કોંગ્રેસ આંબેડકરના મુદ્દે સરકારને ઘેરી રહી છે અને તેવામાં હવે તેમણે મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી છે. આ તરફ રાહુલ ગાંધી સોમવારે મહારાષ્ટ્રના પરભણી પહોંચ્યા હતા.

ADVERTISEMENT
10 ડિસેમ્બરની સાંજે મરાઠવાડા ક્ષેત્રમાં સ્થિત પરભણી શહેરના રેલ્વે સ્ટેશનની બહાર ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. હિંસા બાદ ધરપકડ બાદ ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ પામેલા સોમનાથ સૂર્યવંશીના પરિવારને રાહુલ મળ્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સોમનાથ સૂર્યવંશીની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ દલિત હતા અને બંધારણની રક્ષા કરી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, સોમનાથ સૂર્યવંશીની પોલીસે હત્યા કરી છે અને આ કસ્ટોડિયલ ડેથનો કેસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.