બ્રેકિંગ ન્યુઝ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ParthB
Last Updated: 10:28 AM, 23 November 2021
Congress leader Kirti Azad to join TMC today in Delhi: Sources
— ANI (@ANI) November 23, 2021
(File photo) pic.twitter.com/1WeF8lPsKm
કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદ આજે કોંગ્રેસ છોડીને TMCમાં જોડાઈ શકે છે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે દિલ્હીના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળી શકે છે. પરંતુ આ બેઠક પહેલા જ તેમણે કોંગ્રેસને ઝટકો આપ્યો છે. સમાચાર આવી રહ્યાં છે કે, કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ આજે કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. શક્ય છે કે, તેઓ મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાય
26 વર્ષ બાદ ભાજપ છોડી દીધું હતું
26 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે પાર્ટી છેલ્લી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. તમને જણાવી દઈએ કે, કીર્તિ આઝાદના રૂપમાં ટીએમસીને બિહારમાં મોટો ચહેરો મળશે. કીર્તિ આઝાદના પિતા કોંગ્રેસના નેતા અને બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. કીર્તિ આઝાદે, જે 1983 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો. તેણે ભારતીય જનતા પાર્ટી સાથે રાજકીય ઈનિંગ્સની શરૂઆત કરી હતી, જો કે, ભાજપના નેતા અરુણ જેટલી સાથેના તેના સંબંધઓમાં તણાવ એટલી હદે વધી ગયો હતો કે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં
આઝાદે 2019માં ચૂંટણી લડી હતી પરંતુ તે જીતી શક્યા ન હતા
કીર્તિ આઝાદે કોંગ્રેસની ટિકિટ પર 2019ની સામાન્ય ચૂંટણી લડી હતી પરંતુ તે જીતી શક્યા ન હતા. કીર્તિ આઝાદને દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની વાત પણ ચાલી હતી, પરંતુ તેના કારણે તેઓ લાંબા સમયથી પાર્ટીમાં ઉપેક્ષિત અનુભવી રહ્યા હતા. હવે એવા સમાચાર છે કે કીર્તિ આઝાદ ટીએમસીમાં જોડાવા જઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ