અમદાવાદ બાદ કોરોનાનું હબ બનેલા સુરતમાં આજે સીએમ રૂપાણી રૂબરૂ મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે કોવિડને પહોંચી વળવા માટેની કામગીરીની સમીક્ષા કરી હતી અને પત્રકાર પરિષદમાં સુરતમાં કોરોના સાથે લડવા માટેના માસ્ટરપ્લાનની ચર્ચા કરી હતી. જો કે તાજેતરમાં જ સુરતના સ્મશાનોમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કારના આંકડા અને સરકારી વેબસાઈટના આંકડામાં બહુ મોટો તફાવત જોવા મળ્યો હતો જે અંગે CMએ સરકારી વેબસાઈટના આંકડા જ સાચા ગણાવ્યા હતા.
સરકારી વેબસાઈટના આંકડા સાચા
કોરોનાને કાબુમાં લાવવા ઉદ્યોગો બંદ કરાશે
લોકડાઉનની કોઈ શક્યતા નથી: CM
સુરતમા દિવસે દિવસે કેસમા વધારો થઇ રહ્યો છે. જો કે જુનમાં કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યા હતા. ધનવંતરી રથના પ્રયોગથી અમદાવાદના કેસો ઘટાડો થયો છે. એ જ મોડેલ સુરતમાં પણ અપનાવીશું. સુરતમાં પણ કોરોના નિયંત્રણ લાવવા તમામ પ્રયોગ કરીશુ.
સરકારી અધિકારીઓની ફોજ હાજર છે
IAS લેવલના અધિકારીઓ સાથે મસલત કરીને તેમને સુરતમાં કોરોના રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ પણ ત્રણ દિવસ સમીક્ષા કરી રહ્યા છે
સુરતમા કોવિડ-19 હોસ્પિટલ પાછળ 100 કરોડ રૂ ખર્ચાશે. ધનવંતરી રથ પણ સુરતના 500 સ્થળો પર ફરશે. દરરોજ 12થી 15 હજાર દર્દીઓને સ્થળ પર દવા અપાશે. સાંજ સુધીમાં 200 વેલ્ટિનેટર સુરતને મળશે.
સુરતમાં ઉદ્યોગ બંધ કરાશે
CM રૂપાણીએ સુરતમાં ઉદ્યોગો મામલે જણાવ્યું હતુ કે, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગોમાં કર્ચમારીઓમા સંક્રમણનો વધારો થયો છે જેને કારણે હીરા કારખાના અને ફેક્ટ્રરીઓ બંધ કરાશે. નિયમો ઉલ્લંઘન સામે કાયદેસરના પગલા લેવાશે.
આકંડાઓ તફાવત અંગે CM રૂપાણીનુ નિવેદન
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સરકારની વેબસાઇટ પર આવેલ આકંડા સ્પષ્ટ જ છે. કોરોના દર્દીઓને મોબાઇલની છુટ આપવાની આવી છે. સુરતમાં ફરીથી લોકડાઉનન નહી લાગે.
શું કહ્યુ CM રૂપાણીએ?
સુરત શહેરની સમીક્ષા બાદ cm રૂપાણીનુ નિવેદન
સુરતમા દિવસે દિવસે કેસમા થઇ રહ્યો છે વધારો- cm રૂપાણી
જુનમાં કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યા
ધનવંતરી રથના પ્રયોગથી અમદાવાદના કેસો ઘટાડો થયો-
સુરતમાં પણ કોરોના નિયંત્રણ લાવવા તમામ પ્રયોગ કરીશુ