ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલનો સપાટો, બે અધિકારીઓને તાત્કાલિક કરી નાખ્યાં સસ્પેન્ડ, કોણ છે બન્ને?
Last Updated: 02:47 PM, 6 September 2026
ADVERTISEMENT
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ તો મૃદુ ભાષી ગણાય છે પરંતુ જ્યારે કામની વાત ત્યારે તેઓ ખૂબ કડક બની જાય છે અને ભ્રષ્ટાચાર કે ગેરરીતિના કિસ્સામાં તો અધિકારીઓ સામે એક્શન લેતાં જરા પણ અચકાતા નથી.
ADVERTISEMENT
ગાંધીનગરથી બે અધિકારીઓને બરખાસ્ત કરવાનો આપ્યો ઓર્ડર
ગાંધીનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે બે અધિકારીઓને બરખાસ્ત કરી નાખવાનો આદેશ આપ્યો હતો. સીએમના આદેશ બાદ મહેસાણા સુપરિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ બીકીશા પટેલ અને ભાવનગર જમીન દફતર નિરીક્ષક કે.એ.પંડ્યાને સસ્પેન્ડ કરી દેવાયાં છે.
ADVERTISEMENT
સીએમે કેમ લીધું એક્શન?
CMને જમીન સર્વે અને જમીન દફ્તર સંદર્ભે ગેરરીતિની ફરિયાદ મળી હતી જે પછી મુખ્યમંત્રીએ બન્ને અધિકારીઓની બરખાસ્તગીનો આદેશ આપ્યો હતો. તપાસમાં બન્ને અધિકારીઓ સામે ગેરરીતિઓ સામે આવતાં જ એક્શન લેવાયું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : જન્માષ્ટમીની રાતે ખૌફનાક બનાવ, મંદિર ગયેલી સગીરાનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ
રાજકોટના અગ્નિકાંડ બાદ પણ સીએમે લીધું હતું એક્શન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 2024માં રાજકોટના અગ્નિકાંડ બાદ એકશનમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેટલાક અધિકારીઓને બરખાસ્ત કરી નાખ્યાં હતા. એક જ દિવસમાં GAS કેડરના એક અધિકારી અને જીએસટી વિભાગના બે ડેપ્યુટી કમિશનરને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે. અત્યાર સુધી નાના માછલાઓ પર તવાઈ ઊતરતી હતી પરંતુ હવે મોટા મગરમચ્છોને નોકરીમાંથી હાંકી કાઢવાનું શરૂ કરાતા GAS અને IAS-IPS લોબીમાં સન્નાટો છવાઈ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો