બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:00 PM, 13 January 2024
ADVERTISEMENT
ક્લાસિકલ સિંગર અને પદ્મ પુરસ્કાર સન્માનિત પ્રભા અત્રેનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. પ્રભા અત્રેને હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ લઈ જતા સમયે તેમનું રસ્તા જ નિધન થયું હતું. જ્યારે પ્રભા અત્રેને હાર્ટ એટેક આવ્યો કે તરત જ પરિવારના સભ્યો દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. પ્રભા અત્રેના અચાનક નિધનને લઈને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
ज्येष्ठ शास्त्रीय गायिका, तिन्ही पद्म पुरस्काराने सन्मानित असणाऱ्या डॉ. प्रभा अत्रे यांच्या निधनाची बातमी अतिशय दुःखद आहे. वयाच्या ९२ व्या वर्षी त्यांनी पुण्यात अखेरचा श्वास घेतला. प्रभाताईंना भावपूर्ण श्रद्धांजली!#prabhaatre #prabhaatrepassedaway pic.twitter.com/vM7nNpf86k
— Vishal Jagdale (@Jagdale__vishal) January 13, 2024
ADVERTISEMENT
ફેમસ સિંગર પ્રભા અત્રેનું હાર્ટ એટકેથી નિધન થતાં તેના ફેન્સ પણ શોકમાં મુકાઈ ગયા છે. મુંબઈમાં થોડા સમય પછી જ તેનું એક પરફોર્મન્સ થવાનું હતું. જેની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. પણ અચાનક તેના નિધનથી તેના ફેન્સ દુખી છે અને સૌ કોઈ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપી રહ્યું છે.
ADVERTISEMENT
8 વર્ષની ઉંમરે શિખ્યુ હતુ ક્લાસિકલ મ્યૂઝિક
13 સપ્ટેમ્બર 1932માં પુણેમાં જન્મેલા પ્રભા અત્રે બાળપણથી જ ક્લાસિકલ મ્યુઝિકમાં દિલચસ્પી હતી.8 વર્ષની ઉંમરમાં જ તેને ક્લાસિકલ મ્યૂઝિક સાંભળવાની અને તેની ટ્રેનિંગ લીધી હતી. પ્રભા અત્રે કિરાના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે ગઝલ, ગીત, દાદરા અને ઠુમરીથી માંડીને નાટ્ય સંગીત અને ભજન સુધીની દરેક બાબતમાં પારંગત હતા. પ્રભા અત્રેએ કથકની તાલીમ લીધી હતી.તેમણે સુરેશબાબુ માને અને હીરાબાઈ બારોડકર પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા લીધી હતી.
પ્રભા અત્રેને 1990માં પદ્મશ્રી અને પછી 2002માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. જે બાદ તેમને 2022માં પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રભા અત્રે એક લેખિકા પણ હતા.તેને એક સમયે 11 પુસ્તકો બહાર પાડ્યા હતા અને એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ મુંબઇમાં જે કાર્યક્રમ થવાનો હતો તે પહેલાં જ હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થતાં ફેન્સ હવે શોકમાં ગરકાવ થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.