બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Clarification of Congress leader and MLA Arjun Modhwadia

સ્પષ્ટતા / ભાજપમાં ભરતી થવાની અટકળો વચ્ચે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા અને ગુલાબસિંહની ચોખવટ, રાજકારણમાં ગરમાવો

Published By: Mahadev Dave

Last Updated: 05:48 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચા રાજકીય વર્તૂળોમાં ચાલતી હતી. ત્યારે મોડે મોડે રાજીનામુ આપવા અને ભાજપમાં જોડાવા બાબતે ખુલાસો કર્યો છે.

  • અર્જૂન મોઢવાડિયાએ કરી સ્પષ્ટતા 
  • ભાજપમાં જોડાવવાની ચર્ચાને આપ્યો રદિયો
  • "હું કોંગ્રેસમાં જ છું,પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું"
  • "ભાજપમાં જોડાવવાની વાત આધાર વિનાની"

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવી-જુનીના એંધાણ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ભાજપમાં જોડાવવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. અર્જૂન મોઢવાડિયા પાંચ હજારથી વધુ કાર્યકરો સાથે આવતા મહીને કેસરિયા કરે તેવી ચર્ચા જાગી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે અર્જુન મોઢવાડિયાએ ખુલાસો કર્યો છે અને ટ્વિટર પર ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે.

"હું કોંગ્રેસમાં જ છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું"

અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર જણાવ્યુ કે ઘણી ચેનલો દ્વારા મારા ભાજપમાં જોડાયા હોવાની વાતો કરવામાં આવી રહી છે. જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય હોવાની વાત કરી હતી. આમ આ મોંઢવાડિયાએ ચર્ચાનું ખંડન કર્યું છે અને વાતને આફવા ગણાવી છે. કહ્યું કે મારા ખુલાસા વગર મીડિયામાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો કરવામાં આવી રહી છે. જે તમામ વાતો પાયાવિહોણી છે.

રાજીનામું આપવા બાબતે ખુલાસામાં કોઈ ઉલ્લેખ નહીં

ઉલ્લેખનીય છે કે સી.જે.ચાવડાના રાજીનામા બાદ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચા રાજકીય વર્તૂળોમાં ચાલતી હતી. ત્યારે મોડે મોડે રાજીનામુ આપવા અને ભાજપમાં જોડાવા બાબતે ખુલાસો કર્યો છે. મોંઢવાડિયાએ કહ્યું કે તેઓ કોંગ્રેસ નહીં છોડે. જેને લઈને ચર્ચાએ નવો વળાંક લીધો છે.

ગુલાબસિંહ ચૌહાણની પણ સ્પષ્ટતા

આ ઉપરાંત ગુલાબસિંહ ચૌહાણની પણ વાતો વહેતી થઈ છે. ત્યારે તેઓએ પણ ટ્વિટરના માધ્યમથી ખુલાસો કરતા કહ્યું છે કે મારી સાથે કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાત થઈ રહી છે. જે તદ્દન ખોટી છે અને હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. માટે આવી અફવા ન ફેલાવવા જણાવ્યું છે. તેઓએ ભાજપમાં જોડાવાની વાત પાયા વિહોણી હોવાની સ્પષ્ટતા કરી છે.

વધુ વાંચો: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, આ દિગ્ગજ ધારાસભ્ય આપશે રાજીનામું, ભાજપમાં ગોઠવાઈ ગયું

આમ ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે રાજીનામુ આપવા જઈ રહ્યાં હોવાની વાત જાગી છે. હવે તેઓ આગામી સમયમાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે. તેવી ચર્ચા ચાલી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat congress MLA MLA Arjun Modhwadia અર્જુન મોઢવાડીયા ગુલાબસિંહની ચોખવટ ભાજપ રાજકારણ arjun modhvadiya

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ