બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 06:15 PM, 20 July 2023
સિગારેટની કુટેવ એટલી ભયંકર હોય છે કે આ દૂષણમાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ત્યારે સિગારેટ છોડવી આવી મુશ્કેલ કેમ હોય છે? તે મામલે વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ રિસર્ચમાં સવાલના જવાબ આપી સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં કહેવાયું છે કે 60 થી 75 ટકા લોકો સિગારેટ છોડવા અંગે સૌપ્રથમ નિણર્ય લીધા બાદ 6 માસના સમયગાળામાં ફરી સિગારેટ પીવાનું શરૂ કરી દેતા હોય છે જેને લઈને આવી કુટેવોમાથી તે બહાર આવી શકતા નથી.
વ્યસન પાછળ વૈજ્ઞાનિક ફંડા
સિગારેટના વ્યસન પાછળ વૈજ્ઞાનિક ફંડાની વાત કરવામાં આવે તો કોઈ બંધાણી જ્યારે સિગારેટ પીવે છે ત્યારે સિગારેટમાં રહેલ તમાકુ બળે છે અને તે નિકોટીન છોડે છે. જે નિકોટીન બંધાણીના લોહી મારફતે ફેફસામાં પહોંચે છે અને મગજમાં હાજર રહેલા નિકોટીનીક એસિટીલકોલાઈન રિસેપ્ટને જાગૃત કરે છે. જે સક્રિય થયેલ ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઇનને મુક્ત કરે છે. જેની અસર મગજ પર પડતી હોવાથી આ ડોપામાઇન ધીમે ધીમે સિગારેટનું વ્યસન વધારે છે. કારણ કે જ્યારે ડોપામાઇન શરીરમાંથી બહાર આવે છે તે ક્ષણ આનંદદાયક હોવાથી લોકોને વારંવાર આવું કરવાનુ મન થાય છે પરિણામે સિગારેટનું વ્યસન થવા લાગે છે.
આવો છે વૈજ્ઞાનિકનો દાવો
એક વખત સિગારેટની લત લાગ્યા બાદ ફરી તેમાંથી બહાર આવવુ મુશ્કેલ બની જતું હોય છે. કારણ કે જ્યારે સિગારેટના વ્યસની સિગારેટ ન પીવે તો તેઓને ડોપામાઇન છોડવાની એ આનંદદાયક ક્ષણ અનુભવાતી નથી પરિણામે તે આનંદ ફરી મેળવવા તે નાછૂટકે પણ વ્યસન તરફ આકર્ષાય છે. પરિણામે સિગારેટ છોડવી મુશ્કેલ બની જાય છે. ડબલ્યુએચઓના જણાવ્યા અનુસાર મોત માટે ઘણા કારણો જવાબદાર છે. જેમાંથી ધુમ્રપાનએ મુખ્ય કારણ છે. આંકડા અનુઆર વિશ્વભરમાં ૧૪ ટકા લોકો ધૂમ્રપાન અને ધુમ્રપાન સંબંધી રોગોને પરિણામે મોતના ખપ્પરમાં હોમાઈ છે.વૈજ્ઞાનિકોના દાવા અનુસાર સિગારેટ છોડવા માટે હિંમત સાથે દ્રઢ મનોબળથી વ્યસન છોડી શકાય છે. તો એવી ઘણી પદ્ધતિઓ પણ છે. જેનાથી નિકોટીન લેવાની ઈચ્છા ઘટાડી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh