પ્રભુ શ્રીરામની તપોસ્થલી ચિત્રકૂટમાં દિવાળી પર કાળી ચૌદશના દિવસથી ત્રણ દિવસ સુધી મંદાકિની તટ પર ગધેડાંનો ઐતિહાસિક મેળો લાગે છે. તેમાં ફિલ્મી સ્ટાર અને નેતાઓનાં નામવાળાં ગધેડાં લાખો રૂપિયામાં ખરીદવા અને વેચવામાં આવે છે.
ચિત્રકુટમાં કાળી ચૌદશતી ગધેડાનો મેળો લાગે છે
ત્રણ દિવસ સુધી મંદાકિની તટ પર ચાલે છે ઐતિહાસિક મેળો
ફિલ્મી સ્ટાર અને નેતાઓના નામવાળા ગધેડાઓની લાખો રૂપિયાની લાગે છે બોલી
ઓરંગઝેબે આ મેળાની કરી હતી શરૂઆત
ઘણાં રાજ્યોમાંથી આવેલા વેપારીઓ કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. મુગલ શાસક ઔરંગઝેબે ચિત્રકૂટમાં આ મેળાની શરૂઆત કરી હતી. દેશભરમાં સેના લઇને ઘૂમતી વખતે સૈન્ય બળની પાસે ઘોડાની કમી થતાં મેળો લગાવાયો હતો. તેમાં અફઘાનિસ્તાન સુધીનાં ગધેડાં અને ખચ્ચર વેચાણ માટે લવાયાં હતાં. તેમને મુગલ સેનામાં સામેલ કરાયાં હતાં. ત્યાર બાદ મેળો લાગવાનો ક્રમ જારી છે.
મેળામાં ગધેડાની લાગે છે બોલી
આ મેળામાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને નેપાળ સુધીના વેપારીઓ ખરીદી માટે આવે છે. બુંદેલી સેનાના જિલ્લાધ્યક્ષ અજિતસિંહના જણાવ્યા મુજબ નવા ગામ અને જિલ્લાના કતરા ગુદર મેદાનમાં લાગતા મેળાની વેપારીઓ વરસથી રાહ જુએ છે. મેળામાં ગધેડાંની પાંચ લાખ સુધીની બોલી લગાવાય છે.
ફિલ્મી સ્ટારના નામવાળા ગધેડાનું ઝડપથી વેચાણ
આંતરરાજ્ય ગધેડાં મેળામાં ફિલ્મી સ્ટારના નામવાળાં ગધેડાનું વેચાણ ઝડપથી થઇ જાય છે. કેટલાક નેતા પર પણ નામ રાખવામાં આવે છે. વેપારીને ફિલ્મી અભિનેત્રીઓનાં નામવાળાં ગધેડાં સૌથી વધુ આકર્ષે છે.
ગધેડાથી પ્રતિદિન એકથી દોઢ હજારની થાય છે કમાણી
કેટલાંક સારી જાતનાં ગધેડાંનો ઘોડાગાડીની જેમ પણ ઉપયોગ થતો હોય છે. એક ગધેડો પ્રતિ દિન રૂ. એકથી દોઢ હજારની કમાણી કરી લે છે, જ્યારે તેની પર માત્ર અઢીસો રૂપિયાનો ખર્ચ થાય છે.