બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / "ભેદભાવ છોડો, દરેકને પોતાના માનો...", હિન્દુ સંમેલનમાં સામાજિક એકતા પર સંઘ વડા મોહન ભાગવતનો સંદેશ
Last Updated: 08:34 AM, 1 January 2026
Chhattisgarh News: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત હિન્દુ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે સમાજ, રાષ્ટ્ર અને પરિવાર સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે સંઘનો ઉદય નાગપુરની એક નાની શાખામાંથી થયો હતો અને આજે આખા દેશભરમાં ફેલાયેલો છે.
ADVERTISEMENT

મોહન ભાગવતે ભાર મુકતા કહ્યુ કે વ્યક્તિનું મૂલ્યાંકન તેની જાતિ, ભાષા, સંપત્તિ અથવા સામાજિક સ્થિતિના આધારે ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે આખો દેશ દરેકનો છે, અને આ લાગણી સાચી સામાજિક સમરસતાની ઓળખ છે. તેમણે કહ્યું કે સામાજિક એકતા માટે પહેલી શરત એ છે કે મનમાંથી ભેદભાવની ભાવના દૂર કરવી અને દરેક વ્યક્તિને પોતાનો માનવો.
ADVERTISEMENT
તેમણે હિન્દુ સમુદાયને પરસ્પર સમજણ વધારવા, કટોકટીના સમયે એકબીજાને સહારો આપવા અને દેશના ઇતિહાસ અને પૂર્વજો વિશે જાણવાનો પ્રયાસ કરવા અપીલ કરી. પરિવાર અંગે તેમણે સૂચન કર્યું કે પરિવારના સભ્યોએ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર સાથે બેસવું જોઈએ, ઘરે બનાવેલું ભોજન ખાવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. આનાથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સામાજિક સંબંધો પણ મજબૂત થશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ લાખો કર્મચારીઓ માટે ખુશખબર! 8મું પગાર પંચ લાગુ, પગારમાં આવશે જોરદાર ઉછાળો
પર્યાવરણ અને વિકાસ અંગે તેમણે બંને વચ્ચે સંતુલનની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વિકાસ માટે જંગલો કાપવા કે પર્યાવરણના રક્ષણના નામે વિકાસ બંધ કરવો એ યોગ્ય નથી. તેમણે જળ સંરક્ષણ અને વૃક્ષારોપણને વ્યક્તિગત જવાબદારી ગણાવી અને દરેકને તેને અપનાવવા અપીલ કરી.
ADVERTISEMENT
ધર્મ પરિવર્તનના મુદ્દા પર મોહન ભાગવતે કહ્યું કે સમાજમાં વિશ્વાસનો અભાવ આનું એક મુખ્ય કારણ છે. જો લોકોનો જમીની સ્તરે પરસ્પર જોડાણ વધે તો આવી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. આ માટે સામૂહિક પ્રયાસો અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયા જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.