ભારતમાં સોપારીનું ખૂબ મોટું મહત્વ છે. પૂજા પાઠથી લઇને દરેક જરૂરી ચીજમાં સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં લોકો સોપારી ચાવવાના ખૂબ શોખીન છે. સોપારી દરેક શુભ પ્રસંગે ચઢાવવામાં આવે છે કારણ કે એને ખબહ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો એવા પણ હોય છે જે ડિનર બાદ દરરોજ સોપારી ખાવાનું પસંદ કરે છે. સોપારી માઉથફ્રેશનરનું કામ કરે છે. પરંતુ સોપારીના ઘણા નુકસાન પણ છે જેનાથી તમે અત્યાર સુધી અજાણ હશો. એનાથી દાંતનો રંગ પણ ખરાબ થઇ જાય છે અને આ ઉપરાંત ઘણા પ્રકારની સમસ્યા આવવાની શરૂ થાય છે.
પેઢાને નુકસાન
કેટલાક લોકોને દરરોજ સોપારી ચાવવાની આદત હોય છે. એનાથી ધીરે ધીરે પેઢા પર અસર થવાની શરૂઆત થાય છે. એનાથી માઉથ અલ્સર થવાનું જોખમ રહે છે.
અન્નનળીનું કેન્સર
સોપારીમાં રહેલા અલ્કલોઇડ અને પોલયફેનોલ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. એનાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધી જાય છે.
મોઢાનું કેન્સર
પાનમાં સોપારી અને કાસ્ટિકનો ચૂનો મિક્સ કરવામાં આવે છે. જેનાથી મોઢાના કેન્સર થવાની શક્યતા વધારે વધી જાય છે.
હાઇ બ્લડ પ્રેશર
જે લોકો વધારે સોપારી ચાવે છે એમને હાઇ બ્લડ પ્રેશર ચિંતા એકાગ્રતા સંવેદનશીલતા ઊંઘની ખામી ની પરેશાની થવા લાગે છે.