બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / chattishgarh narayanpur protestors attacked SP sadanand kumar
Vaidehi
Last Updated: 08:18 PM, 2 January 2023
છત્તીસગઢનાં નારાયણપુરમાં ધર્માંતરણ મામલાને લઇને સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઊતરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓએ સોમવારે ઘટનાસ્થળ પર પહોંચેલ નારાયણપુરનાં SP સદાનંદ કુમાર પર હુમલો કર્યો છે. આ હુમલામાં તેમના માથા પર ગંભીર ઈજા થઇ છે. તેમને ઈલાજ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ છે.
આ મુદાનાં વિરોધમાં નિકળી રેલી
આ મામલામાં નારાયણપુર જિલ્લાનાં અલગ-અલગ ગામડાઓમાં આક્રોશ ફેલાઇ ગયો છે. આદિવાસી સમાજનાં લોકોએ બજાર સ્થળનાં આ મુદાનાં વિરોધમાં રેલી નિકાળી હતી. તેની જાણકારી મળતાં જ જિલ્લા પોલીસ અને પ્રશાસન એક્શનમાં આવ્યાં.
धर्मांतरण के मामले में पुलिसिया कार्यवाही से नाराज कुछ इस तरह से ग्रामीण महिलाओं ने #कोंडागाँव कोतवाली में पदस्थ सब इंस्पेक्टर पर निकाली अपनी भड़ास, साहब को दौड़ लगाकर बचानी पड़ी अपनी जान..@gyanendrat1 @Ravimiri1 @the_viralvideos #bastar #chattisgarh pic.twitter.com/X4SmJFeVAa
— Ashok Naidu (ABP News) (@Ashok_Naidu_) January 2, 2023
આ છે સમગ્ર મામલો
એડકા પોલીસ સ્ટેશનનાં વિસ્તારનાં ગોર્રા ગામમાં ધર્માંતરણનાં મામલાને લઇને 2 સમુદાયો સામે-સામે આવી ગયાં હતાં. તેના બાદ થોડા સમય સુધી ઘણો વિવાદ થયો અને છેલ્લે મારપીટમાં કેટલાક લોકો ઘાયલ પણ થઇ ગયાં. ઘટનાને લઇને આદિવાસી સમાજે સોમવારે નારાયણપુર બંધનું એલાન કર્યું. નવા વર્ષનાં એક દિવસ પહેલાં આદિવાસી સમાજને ધર્માંતરણનાં મામલા અંગે માહિતી મળી હતી. તેને લઇને સમાજનાં લોકો વિરોધ દર્શાવી રહ્યાં હતાં. આરોપ છે કે આ દરમિયાન અમુક ધર્મનાં લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી. જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયાં હતાં.
Chhattisgarh | Some members of the tribal community went to attack a church in Bangalpara area. During the violence, someone attacked me. An investigation will be conducted into the entire incident: SP Narayanpur pic.twitter.com/hNDlWUSqSg
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 2, 2023
આદિવાસીઓ કરી રહ્યાં છે પ્રદર્શન
છેલ્લા કેટલાક દિવસોથી આદિવાસી પ્રદર્શનકારીઓ નારાયણપુર જિલ્લામાં પ્રદર્શન કરી રહ્યાં છે. જિલ્લા કલેક્ટર કાર્યાલયની બહાર બેસીને તેમની વિરૂદ્ધમાં કરવામાં આવેલ અત્યાચારો સામે પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓની પ્રશાસન સાથે મારપીટ કરનારાં લોકોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime