બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Malay
Last Updated: 02:22 PM, 11 December 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના સમયમાં ફેરફાર થયો છે. તેઓ આજે ગોવાથી સીધા ગુજરાત પહોંચશે.
ગોવાથી સીધા ગુજરાત આવશે PM મોદી
વડાપ્રધાન મોદી આજે રાત્રે જ ગુજરાત આવશે. આજે રાત્રે 10 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે. જે બાદ આવતીકાલે બપોરે PM મોદી નવી સરકારની શપથવિધિમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રધાનમંત્રી સોમવારે ગુજરાતના પ્રવાસે આવાના હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટથી શપથગ્રહણના સ્થળ સુધી રોડ-શૉ પણ કરવાના હતા. જોકે, હવે વડાપ્રધાન મોદી ગોવાથી સીધા આજે રાત્રે અમદાવાદ આવશે.
ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના 12 ડિસેમ્બરે શપથગ્રહણ
રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના નવા મંત્રી મંડળ આગામી 12 ડિસેમ્બરે શપથ લેશે. તેઓ ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 12-00 વાગ્યે શપથગ્રહણ કરશે. જોકે, અહી નોંધનીય બાબત એ છે કે, આવતીકાલે જ ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના તમામ સભ્યો સાથે જ શપથગ્રહણ કરશે.
ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અપાયું આમંત્રણ
આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. પ્રદેશ ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ મંડવીયા સહિતના કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ સમારોહમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નવી સરકારના શપથગ્રહણ સમારોહ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime