બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Centre approves 78 days wage as bonus to Railway employees
Hiralal
Last Updated: 03:43 PM, 12 October 2022
રેલવેમાં કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે તેમને 78 દિવસનુ પર્ફોમન્સ લિંક્ડ બોનસ આપવાનો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટની આજે મળેલી બેઠકમા બોનસ સંબંધિત નિર્ણય લેવાયો હતો. જોકે રેલવે પોલીસને આ લાભથી વંચિત રાખવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયથી 11 લાખથી વધુ રેલવે કર્મચારીઓને બોનસનો લાભ મળશે.
Productivity linked bonus of Rs 1,832 crores will be given to 11.27 lakh employees of railways. It will be a bonus of 78 days and Rs 17,951 will be its maximum limit: Union Minister Anurag Thakur pic.twitter.com/lBu3GJj7w1
— ANI (@ANI) October 12, 2022
Thanks to PM @narendramodi Ji on behalf of entire rail parivar for sanctioning the productivity-linked bonus for 78 days. pic.twitter.com/PI3bexCXQC
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 1, 2022
દરેક કર્મચારીને 17 હજાર રુપિયા સુધીનું બોનસ મળી શકે
રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રેલવે કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે બોનસ આપવામાં આવી રહ્યું છે. સાથે જ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી રેલવે કર્મચારીઓ પોતાની કાર્યક્ષમતા વધારી શકે, સાથે જ આ નિર્ણયથી અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. એક અંદાજ મુજબ રેલવે કર્મચારીઓને 78 દિવસના બોનસ પાછળ લગભગ 1.83 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. એટલે કે દરેક કર્મચારીને લગભગ 17 હજાર રૂપિયા ચૂકવી શકાય છે.
લોકડાઉન દરમિયાન કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી
રેલવે મંત્રાલયે પોતાની રિલીઝમાં જણાવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન ખોરાક, ખાતર, કોલસા જેવી આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર સુનિશ્ચિત કરવામાં રેલવે કર્મચારીઓએ યોગદાન આપ્યું છે. આ સાથે જ રેલ દ્વારા માલ પરિવહન અને મુસાફરો પાસેથી ભાડું વસૂલવા જેવા ઘણા નીતિગત પગલાં લેવામાં આવ્યા છે, જેનો ફાયદો ખોટમાં ચાલી રહેલી રેલવેને મળ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, ખોટમાં ચાલતી રેલ્વેએ તેના આર્થિક લક્ષ્યને પ્રાપ્ત કર્યું, જે કોરોના રોગચાળા દરમિયાન ડાઉન રહ્યું હતું. રેલ્વેએ જણાવ્યું હતું કે રોગચાળા દરમિયાન લગભગ 184 મિલિયન ટન નૂર પરિવહન કરવામાં આવ્યું હતું. મોદી સરકારે લીધેલા આ નિર્ણયથી રેલવે કર્મચારીઓ ખૂબ ખુશ છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બોનસને મંજૂરી આપવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મહામારી દરમિયાન રેલવે કર્મચારીઓએ મહત્વની ભૂમિકા નિભાવી છે, જેના કારણે અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh