બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Politics / CBI team arrives in Mumbai to probe Sushant case, here is the planning of 3 teams, list of 5 names for interrogation
ADVERTISEMENT
હવે સુશાંત સિંહ રાજપૂત મોતનો કેસ સુશાંત કેસની તપાસ માટે CBIની ટીમ પહોંચી મુંબઈ, 3 ટીમોનું આ છે પ્લાનિંગ, પૂછપરછ માટે 5 નામની યાદી
હવે સુશાંત સિંહ રાજપૂત મોતનો કેસ CBIની કસ્ટડીમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ CBIની SIT ટીમ એક્શન મોડમાં આવી છે. હવે આજે એટલે કે ગુરુવારે સાંજે સીબીઆઈની ટીમ મુંબઇ પહોંચી હતી. BMCએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે સીબીઆઈ અધિકારીઓને ક્વૉરન્ટાઈન નહીં કરે.
ADVERTISEMENT
#WATCH Maharashtra: Central Bureau of Investigation (CBI) team that will probe #SushantSinghRajput case, arrives in Mumbai. pic.twitter.com/3Bixojqnj6
— ANI (@ANI) August 20, 2020
ADVERTISEMENT
સીબીઆઇ તપાસમાં સીબીઆઈ અધિકારીઓને મદદ કરતી વખતે બીએમસીએ આ છૂટ આપી છે, જ્યારે SITની ટીમે પણ કાર્યવાહીની યોજના તૈયાર કરી છે. મુંબઈમાં પહેલા પૂછપરછ કરવામાં આવશે તેવા 5 લોકોના નામ બહાર આવ્યા છે.
આ રીતે છે ટીમનું પ્લાનિંગ
ADVERTISEMENT
સુશાંત કેસની તપાસ માટે સીબીઆઈએ 3 ટીમો બનાવી છે. દરેક ટીમમાં 3-3 સભ્યો હશે. તેનો અર્થ એ કે 9 લોકોની ટીમ સુશાંતના મોતની સત્ય જાણવા પ્રયાસ કરશે.
પ્રથમ ટીમ દસ્તાવેજો અને કેસ ડાયરીની તપાસ કરશે. ટીમના અન્ય સભ્યો રિયા ચક્રવર્તી અને તેના પરિવારની પૂછપરછ કરશે.
ADVERTISEMENT
જ્યારે ત્રીજી ટીમનો અધિકારી બૉલીવુડ ગેંગ અને દુબઈ માફિયાના એંગલથી કેસની તપાસમાં સામેલ થશે. ગુરુવારે આ ત્રણેય ટીમો પહેલા મુંબઇ પોલીસ પાસેથી કેસ ડાયરી લેશે.
આ સાથે મુંબઇ પોલીસ પાસેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ સાથે સંબંધિત દસ્તાવેજો પણ લેવામાં આવશે.
ADVERTISEMENT
CBIના અધિકારીઓને નહીં કરાય ક્વૉરન્ટાઈન
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બીએમસીએ બુધવારે પોતાનું તેવર બતાવ્યા હતાં. મહાનગરપાલિકાએ કહ્યું હતું કે, જો CBIની ટીમ 7 દિવસથી ઓછા સમય માટે મુંબઈ આવી રહી છે, તો તેમને કોઈ સમસ્યા નથી. પરંતુ જો ટીમ 7 દિવસથી વધુ લાંબી રહેશે તો પહેલા તેઓએ પરવાનગી લેવી પડશે. જો કે, ગુરુવારે, બીએમસીએ ફેરવી તોળ્યું હતું અને તપાસમાં સહકાર આપતા સીબીઆઈ ટીમને ક્વોરેન્ટાઇન રૂલ્સમાં મુક્તિ આપવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ CBIની SIT ટીમ એક્શન મોડમાં આવી છે. હવે આજે એટલે કે ગુરુવારે સાંજે સીબીઆઈની ટીમ મુંબઇ પહોંચી હતી. BMCએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે સીબીઆઈ અધિકારીઓને ક્વૉરન્ટાઈન નહીં કરે.
તપાસમાં સીબીઆઈ અધિકારીઓને મદદ કરતી વખતે બીએમસીએ આ છૂટ આપી છે, જ્યારે SITની ટીમે પણ કાર્યવાહીની યોજના તૈયાર કરી છે. મુંબઈમાં પહેલા પૂછપરછ કરવામાં આવશે તેવા 5 લોકોના નામ બહાર આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.