ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘરેલુ પર્યટકો બાદ હવે વિદેશી અને એનઆરઆઇ પણ ટૂર બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. પહેલેથી જ પર્યટકોની સંખ્યામાં ઘટાડાની સમસ્યા સામે લડી રહેલા પર્યટન ઉદ્યોગને વધુ એક ઝટકો લાગ્યો છે.
CAA ના વિરોધે પર્યટન ઉદ્યોગને આપ્યો ઝટકો
ADVERTISEMENT
CAA ના વિરોધે ડિસેમ્બર મહિનાની શરૂઆતે જ પર્યટન ઉદ્યોગને ઝટકો આપ્યો હતો. અત્યાર સુધી ભારતીય પર્યટકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા હતા, પરંતુ હવે વિદેશી અને એનઆરઆઇ પણ આગ્રા જવાનું ટાળી રહ્યા છે. 25 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધીનું બુકિંગ કેન્સલ થઇ ચૂક્યું છે. આ સમયગાળામાં યુરોપીય દેશોમાં ક્રિસમસની રજાઓમાં મોટા ભાગના એનઆરઆઇ તાજમહેલ જોવા આવતા હતા.
યુરોપીય મંદી જવાબદારી
ADVERTISEMENT
20 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આગ્રામાં હંમેશાં પર્યટન સિઝન રહેતી હતી. જાન્યુઆરીથી નવેમ્બર સુધી અગાઉના વર્ષની સરખામણીમાં 9 લાખ ભારતીય અને વિદેશી પર્યટકો ઓછા આવ્યા છે. તેનું કારણ અમેરિકા અને યુકેની એડવાઇઝરી જારી કરવી તેમજ દેશના ઘણાં રાજ્યમાં પૂર અને સાથે સાથે યુરોપીય મંદીને પણ જવાબદાર મનાય છે.
સંકળાયેલા મુદ્દાઓ