ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / caa violence Reduced the number of tourists come to see the Taj Mahal

ઉત્તરપ્રદેશ / તાજમહેલ જોવા આવતા વિદેશી અને NRIની સંખ્યા ઘટી, આ કારણ બન્યું જવાબદાર

Published By: Kavan

Last Updated: 02:41 PM, 31 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજમહેલ પ્રત્યે લોકોની દીવાનગી ઓછી થઇ નથી, પરંતુ આ નગરીની હવામાં સાંપ્રદાયિકતાનું ઝેર ફેલાયું છે. સીએએ વિરુદ્ધ દેશમાં દરેક જગ્યાએ ઉપદ્રવની જ્વાળાઓથી અહીંના રહેવાસીઓએ પોતાની જાતને ભલે દૂર રાખી હોય, પરંતુ સીએએના વિરોધની ચિનગારીએ આગ્રાના પર્યટન ઉદ્યોગને અસર પહોંચાડી છે.

ADVERTISEMENT

  • તાજમહેલ જોવા આવતા NRI ની સંખ્યામાં ઘટાડો 
  • CAA ના વિરોધે પર્યટન ઉદ્યોગને આપ્યો ઝટકો 
  • અમેરિકામાં આવેલી મંદી પણ બની જવાબદાર 

ઘરેલુ પર્યટકો બાદ હવે વિદેશી અને એનઆરઆઇ પણ ટૂર બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. પહેલેથી જ પર્યટકોની સંખ્યામાં ઘટાડાની સમસ્યા સામે લડી રહેલા પર્યટન ઉદ્યોગને વધુ એક ઝટકો લાગ્યો છે. 

CAA ના વિરોધે પર્યટન ઉદ્યોગને આપ્યો ઝટકો 

CAA ના વિરોધે ડિસેમ્બર મહિનાની શરૂઆતે જ પર્યટન ઉદ્યોગને ઝટકો આપ્યો હતો. અત્યાર સુધી ભારતીય પર્યટકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા હતા, પરંતુ હવે વિદેશી અને એનઆરઆઇ પણ આગ્રા જવાનું ટાળી રહ્યા છે. 25 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધીનું બુકિંગ કેન્સલ થઇ ચૂક્યું છે. આ સમયગાળામાં યુરોપીય દેશોમાં ક્રિસમસની રજાઓમાં મોટા ભાગના એનઆરઆઇ તાજમહેલ જોવા આવતા હતા. 

યુરોપીય મંદી જવાબદારી 

20 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આગ્રામાં હંમેશાં પર્યટન સિઝન રહેતી હતી. જાન્યુઆરીથી નવેમ્બર સુધી અગાઉના વર્ષની સરખામણીમાં 9 લાખ ભારતીય અને વિદેશી પર્યટકો ઓછા આવ્યા છે. તેનું કારણ અમેરિકા અને યુકેની એડવાઇઝરી જારી કરવી તેમજ દેશના ઘણાં રાજ્યમાં પૂર અને સાથે સાથે યુરોપીય મંદીને પણ જવાબદાર મનાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

CAA Taj mahal Violence આગ્રા ગુજરાતી ન્યૂઝ તાજમહેલ Uttar Pradesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ