બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Buy these 5 auspicious items today, luck will shine

Guru Pushya Nakshatra / જલ્દી કરો! આજના દિવસે ખરીદી લો આ 5 શુભ ચીજો, ભાગ્ય ચમકી ઉઠશે, જાણો કેમ

Published By: Sanjay Vibhakar

Last Updated: 08:36 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સવારે સૂર્યોદયથી લઈને સાંજે 4:43 વાગ્યા સુધી ગુરુ પુષ્ય નક્ષત્ર રહેશે. હાલ ગુરુ શુભ સ્થિતિમાં છે એટલે તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો.

જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ ગુરુ છે અને સૌથી શુભ નક્ષત્ર પુષ્ય છે. આ બંનેના સંયોગને કારણે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જે પણ કામ કરવામાં આવશે તેનાથી લાભ થશે. માન્યતાઓ મુજબ આ દિવસે નદીમાં સ્નાન કરવું, મંત્રોના જાપ કરવા અને જરૂરિયાત હોય તેવા લોકોને દાન આપવું સારું માનવામાં આવે છે. આજે એટલે કે 22 ફેબ્રુઆરીના દિવસે ગુરુ અને પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. 

ગુરુ પુષ્ય નક્ષત્ર
આજે સવારે સૂર્યોદયથી લઈને સાંજે 4:43 વાગ્યા સુધી ગુરુ પુષ્ય નક્ષત્ર રહેશે. હાલ ગુરુ શુભ સ્થિતિમાં છે એટલે તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. ગુરુ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીના આભૂષણો, જમીન, વાહન, ચાંદીનો સિક્કો, ધાર્મિક વસ્તુઓ જેમકે શંખ, ચંદન જેવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. 

ગુરુ પુષ્ય નક્ષત્રનો લાભ લેવા શું કરવું જોઈએ 
વહેલા સવારે ઉઠી સ્નાન કર્યા બાદ સંકલ્પ લો. પાણીમાં હળદર ઉમેરી સૂર્યને અર્પણ કરો. ત્યારબાદ મંત્રોનો જાપ કરો. તમે ગુરુ ગ્રહના મંત્રનો જાપ પણ કરી શકો છો. પીળા રંગની વસ્તુઓનું દાન આપો. આ બધુ કર્યા બાદ તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. 

ગુરુને મજબૂત કરવા આ ઉપાય કરો 
વહેલા સવારે ઉઠી સ્નાન કર્યા બાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા. ત્યારબાદ હળદર અથવા ચંદનની માળા વડે ગુરુના મંત્રનો જાપ કરો. મંત્ર છે- ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः. હવે બ્રાહ્મણ અથવા કોઈ વિધાર્થીને પીળી વસ્તુ અથવા અભ્યાસની કોઈ વસ્તુનું દાન આપો. સંભવ હોય તો પીળા રંગનો ખોરાક ખાવ. 

વાંચવા જેવું: રાહુએ પોતાની ચાલ બદલતા આ રાશિના જાતકો થશે માલામાલ, વધશે માન-સન્માન અને લક્ષ્મી

આ વસ્તુઓનું દાન કરો 

  • કાળા તલ 
  • હળદર અને ચણાની દાળ 
  • કેળાનું દાન 
  • પીળા રંગના વસ્ત્રોનું દાન 
  • પીપળાનું ઝાડ લગાવો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Guru Pushya Nakshatra ગુરુ પુષ્ય નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્ર દાન સ્નાન Guru Pushya Nakshatra

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ