બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી DA-પેન્શનનો લાભ નહીં મળે? જાણો સચ્ચાઈ

બિઝનેસ / સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી DA-પેન્શનનો લાભ નહીં મળે? જાણો સચ્ચાઈ

Nidhi Panchal

Last Updated: 10:44 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં એક એવો દાવો વાયરલ થયો છે જેનાથી હજારો સરકારી કર્મચારીઓમાં ગૂંચવણ ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ચાલી રહેલા સંદેશામાં કહેવામાં આવ્યું છે કે નવા નાણા અધિનિયમ 2025 હેઠળ નિવૃત્ત થનારા કર્મચારીઓ હવે પેન્શન અને ડીએના લાભોથી વંચિત રહેશે. પરંતુ, શું ખરેખર એવું છે? હવે PIBએ આ પર મોટું સ્પષ્ટીકરણ આપ્યું છે.

તાજેતરમાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંદેશ જોરશોરથી ફેલાઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે નવા નાણા અધિનિયમ 2025 અંતર્ગત નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પેન્શન, ડીએ વધારો અને પગાર પંચના સુધારા જેવા લાભો પાછા ખેંચી લીધા છે. સંદેશામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે નિવૃત્તિ બાદ કર્મચારીઓને કોઈ વધારાના લાભો નહીં મળે.

pension

પરંતુ PIB (Press Information Bureau) દ્વારા કરવામાં આવેલી તથ્ય-તપાસમાં આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવવામાં આવ્યા છે. PIBએ સ્પષ્ટ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે આવી કોઈ કાર્યવાહી કરી નથી. કોઈ નવો અધિનિયમ એવો પાસ થયો નથી જે પેન્શન અથવા ડીએ લાભો રદ્દ કરે.

pension-final

હકીકતમાં, પેન્શન સંબંધિત કેટલાક નિયમોમાં માત્ર નાના સુધારા (amendments) કરવામાં આવ્યા છે, પરંતુ તેનું નિવૃત્ત થનારા કર્મચારીઓના લાભો પર કોઈ નકારાત્મક અસર નથી.

PIBના જણાવ્યા મુજબ, સુધારો માત્ર CCS (Pension) Rules, 2021 ના નિયમ 37માં કરવામાં આવ્યો છે. આ સુધારો એ માટે છે કે જો કોઈ PSU (Public Sector Undertaking) નો કર્મચારી સરકારની સેવામાં જોડાય છે અને પછી અનૈતિક વર્તન અથવા ખોટી કાર્યવાહી માટે બરતરફ થાય છે, તો આવા કેસમાં હવે તેની પેન્શન અને નિવૃત્તિ લાભો સંપૂર્ણપણે રદ થઈ જશે.

vtv app promotion

અગાઉ, આવા કર્મચારીઓ માટે નિયમો થોડા નરમ હતા. જો કોઈ કર્મચારીને બરતરફ કરવામાં આવ્યો હોય તો પણ તેને કેટલાક નિવૃત્તિ લાભો મળતા હતા. પરંતુ હવે નવા નિયમો હેઠળ જો કોઈ કર્મચારી સરકારી સેવા દરમિયાન શિસ્તભંગ કે ભ્રષ્ટાચાર જેવી ગંભીર ખામીઓ કરે, તો તેને પેન્શન, ફેમિલી પેન્શન અને કરુણા ભથ્થા જેવા લાભો મળશે નહીં.

આ પણ વાંચો : બેંકની FD છોડો! સરકારની પાંચ યોજનામાં રોકાણથી કરો બમ્પર કમાણી

સરકારના જણાવ્યા અનુસાર, આ સુધારાનો હેતુ કર્મચારીઓને વધુ પ્રામાણિકતા અને જવાબદારીથી કામ કરવા પ્રોત્સાહિત કરવો છે. આનો સામાન્ય કર્મચારીઓ પર કોઈ પ્રભાવ નથી, અને કોઈ પણ નિયમ એવો લાગુ નથી જે તમામ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અથવા ડીએ લાભો રદ્દ કરે. PIBએ અંતે લોકોને ચેતવણી આપી છે કે વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા પર ફેલાતા આવા ખોટા સંદેશાઓ પર વિશ્વાસ ન કરે અને કોઈ પણ માહિતી માનતા પહેલા સત્તાવાર સ્ત્રોતો પરથી તેની તપાસ કરી લેવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Finance Act 2025 Pension rules PIB fact check
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ