બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:39 PM, 12 June 2025
Adani Airports IPO: દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી IPO લાવવાની યોજના બનાવી રહ્યા છે. બ્લૂમબર્ગના એક નવા અહેવાલ મુજબ અદાણી ગ્રુપ 2027 સુધીમાં તેના એરપોર્ટ યુનિટ માટે IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. આમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ આગામી વર્ષોમાં વિવિધ વ્યવસાયોમાં રોકાણ કરવા માટે કરવામાં આવશે. કંપનીએ 100 બિલિયન ડોલરના મૂડી ખર્ચ યોજનાના ભાગ રૂપે IPO લાવવાનો નિર્ણય લીધો છે. આ IPO દ્વારા રોકાણકારો પાસેથી લગભગ $1 બિલિયન ઇક્વિટી એકત્ર કરી શકાય છે.
ADVERTISEMENT
8 એરપોર્ટનું સંચાલન
બ્લૂમબર્ગના અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સનું ડિમર્જર થઈને માર્ચ 2027 સુધીમાં શેરબજારમાં લિસ્ટિંગ થવાની શક્યતા છે. હાલમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સની માલિકી ધરાવે છે. આ કંપની હાલમાં દેશમાં આઠ એરપોર્ટનું સંચાલન કરે છે. કંપની આગામી થોડા મહિનામાં મુંબઈની બહાર એક નવું ટર્મિનલ ખોલવાની પણ યોજના ધરાવે છે.
ADVERTISEMENT
કંપની મૂડી ખર્ચ વધારી રહી છે
અદાણી ગ્રુપ આગામી પાંચથી છ વર્ષમાં 100 બિલિયન ડોલર ખર્ચ કરવાની યોજના ધરાવે છે. આ અંતર્ગત ઊર્જા, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટને મજબૂત બનાવવામાં આવશે અને તેમનો વ્યાપ વધારવામાં આવશે. આ માટ, કંપની શક્ય તેટલી વધુ મૂડી એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
2023માં હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ કંપનીના શેર ઘટ્યા હતા. આ ઉપરાંત ગયા વર્ષે નવેમ્બરમાં, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. આના કારણે અદાણી ગ્રુપના શેરના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો કે આ બંને કિસ્સાઓમાં અદાણી ગ્રુપે તેના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા.
વધુ વાંચો: મહિલાઓ બનશે ઉધોગપતિ, સરકારની આ યોજના આપશે 100,00,000 સુધીની બિઝનેસ લોન, જાણો
ADVERTISEMENT

ગૌતમ અદાણી ચીનના પ્રવાસે
ADVERTISEMENT
ગૌતમ અદાણી ગયા અઠવાડિયે ઔદ્યોગિક ઉપકરણો અને સૌર મોડ્યુલ ઉત્પાદકોને મળવા માટે ચીન ગયા હતા. અમેરિકામાં લાંચના આરોપોનો સામનો કર્યા પછી આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ હતો. વાસ્તવમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં એક સૌર પાર્ક બનાવી રહ્યું છે અને ચીન સૌર મોડ્યુલ અને સૌર સેલનો સૌથી મોટો નિકાસકાર છે. અદાણીની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાનો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.