બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વેપારીઓ રહે ટેન્શનમુક્ત! ટ્રમ્પના ટેરિફને પહોંચી વળવા સરકારનો માસ્ટર પ્લાન તૈયાર

બિઝનેસ / વેપારીઓ રહે ટેન્શનમુક્ત! ટ્રમ્પના ટેરિફને પહોંચી વળવા સરકારનો માસ્ટર પ્લાન તૈયાર

Published By: Shilpa Parmar

Last Updated: 10:35 AM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના વધતા ટેરિફના પ્રભાવથી ભારતીય ઉદ્યોગો અને નિકાસકારો માટે ચિંતાનો વિષય છે. આ સમયે સરકારે MSME અને નિકાસ ક્ષેત્રને બચાવવા માટે સસ્તી લોન યોજનાઓ તૈયાર કરી છે. જાણો વેપારીઓ તથા કામદારોના હિતમાં સરકાર શું પગલાં લેશે?

અમેરિકા દ્વારા ભારત પર લગાવાયેલા ટેરિફના નવાં નિયમોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર અનેક પગલાં લેવા જઈ રહી છે. ટેરિફને કારણે લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ માટે સરકાર ‘પ્રત્યક્ષ આવક સહાય’ (Direct Income Support) યોજના લાવવાનો વિચાર કરી રહી છે.

આ યોજનાનો હેતુ એ છે કે જો MSME ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની નોકરી જતી રહે તો તેમને આર્થિક આધાર મળી રહે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી જાણવા મળ્યું કે યોજનાનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે અને મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ તેને ટૂંક સમયમાં અમલમાં મૂકી શકાય છે.

રિપોર્ટ મુજબ સરકાર ટેરિફના પ્રભાવથી MSME ક્ષેત્રને બચાવવા પ્રયત્ન કરી રહી છે. સૌપ્રથમ પરોક્ષ સહાયના ઉપાયો અમલમાં મૂકાશે. તેમાં ક્રેડિટ ગેરંટી હેઠળ સહાય વધારવા અને MSME માટે ઓછા વ્યાજ અને સુરક્ષિત લોન મળી રહે તેના પગલાં લેવાશે.

હાલમાં સરકાર 2025-26ના કેન્દ્રિય બજેટમાં જાહેર કરેલા 25,000 કરોડ રૂપિયાના એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ એક પેકેજ તૈયાર કરી રહી છે, જેમાં સસ્તી લોન, નિકાસ માટે વધુ સારી બજાર પહોંચ અને ટેરિફની અસર ઘટાડવાના ઉપાયો સામેલ છે. આ પેકેજને ટૂંક સમયમાં કેન્દ્રિય મંત્રીમંડળની મંજુરી મળવાની શક્યતા છે.

tariif

કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધશે?

રિપોર્ટ મુજબ RBI ક્રેડિટ ગેરંટી સ્કીમ (CGS) હેઠળ નાના અને લઘુ ઉદ્યોગો માટે સુરક્ષિત લોન મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવાની તૈયારીમાં છે. આ યોજના સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં અમલમાં આવી શકે છે.

CGSને વર્ષ 2010માં શરૂ કરવામાં આવી હતી અને ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ તેનું સંચાલન કરે છે. આ ટ્રસ્ટ બેંક અને નાણાકીય સંસ્થાઓને ખાતરી આપે છે કે જો કોઈ MSME એકમ લોન પરત ન આપી શકે તો ટ્રસ્ટ બાકી રકમમાંથી 75 થી 90 ટકાનો ભાગ ચૂકવી દેશે.

tariif-war

નિકાસકારો સાથે ઉભી છે સરકાર

28 ઓગસ્ટે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના પ્રતિનિધિમંડળે નાણામંત્રી નિર્મલા સીતારમણની મુલાકાત લીધી હતી અને ટેરિફને કારણે ઉભી થઈ રહેલી મુશ્કેલીઓની માહિતી આપી હતી. નાણાંમંત્રીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે સરકાર ભારતીય નિકાસકારો સાથે મજબૂતાઈથી ઉભી છે. તેમણે કહ્યું કે,

'નિકાસ ક્ષેત્રની ચિંતાઓના ઉકેલ માટે તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવશે અને તેમના હિતોની રક્ષા માટે શક્ય તે બધા પગલાં લેવામાં આવશે.'

FIEOના અધ્યક્ષ એસ.સી. રાલ્હને કહ્યું કે,

'વધતા ટેરિફને કારણે નિકાસકારોની સ્પર્ધાત્મક ક્ષમતા અસરગ્રસ્ત થઈ રહી છે, બજાર સુધી પહોંચ મર્યાદિત થઈ રહી છે અને રોજગારમાં નકારાત્મક અસર પડી રહી છે.'

તેમણે સરકારને તાત્કાલિક અને વિચારપૂર્વકના પગલાં લેવા વિનંતી કરી હતી.

વધુ વાંચો: સિગરેટ-પાનમસાલા લવર માટે માઠા સમાચાર, ડબલ પૈસા ચુકવવા પડશે

નાણાંમંત્રી સીતારમણે ખાસ કરીને શ્રમિકોના જીવનાધાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઉદ્યોગ જગતને અપીલ કરી કે તેઓ શ્રમિકોને વિશ્વાસ અપાવે કે વૈશ્વિક આર્થિક પડકારો હોવા છતાં તેમની નોકરીઓ પર કોઈ જોખમ નહીં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Trump Tariff War

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ