બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 11 November 2021
ADVERTISEMENT
कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार।
— Varun Gandhi (@varungandhi80) November 11, 2021
इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z
ADVERTISEMENT
કંગના રાણવતે થોડાક દિવસો પહેલા એક નીવેદન આપ્યું હતું જેના કારણે હાલ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. જેમા વરુણ ગાંધી દ્વારા તેમના પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કંગના ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે.
આઝાદીને લઈને આપ્યું હતું નિવેદન
કંગનાએ આઝાદીને લઈને એવું નિવેદન આપ્યું હતું કે આઝાદી જો ભીખમાં મળે તો તેને આઝાદી ન કહી શકાય. સાથેજ તેણે સાવરકર, રાણી લક્ષ્મીબાઈ અને નેતા સુભાષચંદ્ર બોઝ વીશે કહ્યું કે આ લોકોને ખબર હતી લોહી વહેવાનું છે પરંતુ હિન્દુસ્તાનીજ હિન્દુસ્તાનીનું લોહી ન વહાવે. વધુમાં તેણે કહ્યું કે તેમણે આઝાદીની કિંમત ચુકાવી હતી. પરંતુ તે આઝાદી ન હતી તે ભીખ હતી. સાથેજ કંગનાએ એવું પણ કહ્યું કે ખરી આઝાદી આપણાને 2014માં મળી છે.
સ્વાતંત્રતા સેનાનીઓનું અપમાન ગણાવ્યું
સમગ્ર મામલે ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે કંગનાએ સ્વતંત્રતા સેનાનિઓનું અપમાન કર્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે કંગનાના વિચારોને હું ગાંડપણ કહું કે દેશદ્રોહ કહું તે મને ખ્યાલ નથી આવી રહ્યો છે.
ટ્વીટર પર કર્યા પ્રહાર
ટ્વીટર પર વરૂણ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ક્યારેક મહાત્મગાંધીના ત્યાગ અને તપસ્યાનું અપમાન ક્યારેક તેમના હત્યારાનું સન્માન. સાથેજ હવે રાની લક્ષ્મીબહાઈ, ભગતસિહ, બોસની કુરબાનીનો તિરસ્કાર હવે આ વિચારોને હું ગાંડપણ કહું કે દેશદ્રોહ તે મને ખ્યાલ નથી આવી રહ્યો .
Kangana Ranaut has insulted the martyrdom of countless Indians by calling India’s freedom in 1947 as Bheekh. I request the Hon’ble President of India to reconsider the Honour given to her
— Manjinder Singh Sirsa (@mssirsa) November 11, 2021
She must apologise for her derogatory words@TimesNow @ANI @republic @thetribunechd pic.twitter.com/mmo64IBGPR
અકાળી દળના નેતાએ પણ કર્યા પ્રહાર
मणिकर्णिका का रोल निभाने वाली आर्टिस्ट आज़ादी को भीख कैसे कह सकती है!!!
— Manjinder Singh Sirsa (@mssirsa) November 11, 2021
लाखों शहादतों के बाद मिली आज़ादी को भीख कहना कंगना रनौत का मानसिक दीवालियापन है। pic.twitter.com/YnBYLHMWGk
ઉલ્લેખનીય છે કે માત્ર વરૂણ ગાંધી નહી પરંતું અકાળી દળના વરિષ્ઠ નેતા મનજિંદર સિંહે પણ કંગનાના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે એવું કહ્યું છે કે મણિકર્ણિકાનો રોલ પ્લે કરવા વાળી આર્ટિસ્ટ આઝાદીને ભીખ કેવી રીકે કહી શકે તે ખબર નથી પડતી. સાથેજ તેમણે કંગાનાના માનસીક સંતુલન ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. ઉપરાંત તેમણે એવી અપીલ પણ કરી છે કે કંગનાને રાષ્ટ્રપતિ દ્વારા જે સન્માન આપવામાં આવ્યું છે તેના પર ફરીથી વિચાર કરવામાં આવે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે જો કંગના માફી નહી માગે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામા આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.