બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટી જાહેરાત કરી છે. બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. SITના રિપોર્ટ આધારે સરકારે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, SITના રિપોર્ટમાં સાબિત થયું હતું કે પેપર લીક થયું છે. ત્યારે હવે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મામલો
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે કરી મહત્વની જાહેરાત
બિન સચિવાલય પરીક્ષા મુદ્દે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ, વિરોધ, ધરણાં અને આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. આ મામલે પ્રદીપસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પેપર લીક થયું હોવાથી બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ
1. બિન સચિવાયલ કલાર્કની પરીક્ષા રદ્દ
2. SITના રિપોર્ટના આધારે લેવાયો મુખ્યમંત્રીએ લીધો આ નિર્ણય
3. SITની તપાસમાં હકિકતો સામે આવી
4. ઉમેદવારોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય
5. ગેરરીતિ આચરનાર સામે FIR દાખલ થશે
6. ગેરરીત કરનારા આરોપી ઉમેદવારો 3 વર્ષ સુધી કોઇ પણ પરીક્ષા ન આપી શકે તેવું સૂચન
7. મહેનત કરનારા વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઇએ
8. પેપર લીક કરનારને નહીં બક્ષીએ
9. ચોરી કરનાર તમામને પોલીસ પકડશે
10. CCTVમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા દેખાયા