બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / Biggest action in Kanzhawala case: 11 policemen suspended
Priyakant
Last Updated: 03:26 PM, 13 January 2023
દિલ્હીના કંઝાવાલામાં અંજલિને કારમાં 12 કિમી સુધી ખેંચીને લઈ જનારા આરોપીઓ સામે કાર્યવાહી કર્યા બાદ હવે 1 જાન્યુઆરીએ ફરજ પર રહેલા દિલ્હી પોલીસના જવાનો પર મોટી કાર્યવાહી થઈ છે. રોહિણી જિલ્લામાં પીસીઆર અને પિકેટ પર તૈનાત તમામ 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ પહેલા દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી શાલિની સિંહના રિપોર્ટ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોલીસને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. કેસની ગંભીરતા અને ઉપલબ્ધ પુરાવાના આધારે પોલીસને કંઝાવાલા કેસના આરોપીઓ પર કલમ 302 એટલે કે હત્યાની કલમ લગાવીને મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કંઝાવાલામાં કેસમાં સૂત્રોનું માનીએ તો ગૃહ મંત્રાલયના નિર્દેશ પર દિલ્હી પોલીસે આ સંબંધમાં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટ મળ્યા બાદ ગૃહ મંત્રાલયે આ મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એમએચએ પોલીસ પિકેટ અને પીસીઆરમાં હાજર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
Kanjhawala death case | The 11 Policemen of Rohini District that have been suspended include two Sub Inspectors, four Assistant Sub Inspectors, four Head Constables, and one Constable. Six of them were on PCR duty and five were at the picket on the day of the incident.
— ANI (@ANI) January 13, 2023
નોંધનીય છે કે, અંજલિનું 1 જાન્યુઆરીએ દિલ્હીના કંઝાવાલામાં નિધન થયું હતું. તેના મૃતદેહને દિલ્હીની ગલીઓમાં 12 કિલોમીટર સુધી ઘસેડવામાં આવ્યો હતો. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે આ બધું તે રાત્રે બન્યું જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો. દિલ્હી પોલીસના કડક સુરક્ષાના દાવા વચ્ચે અંજલિનું રસ્તામાં જ મોત થયું હતું.
શું હતી સમગ્ર ઘટના?
કંઝાવાલામાં 1 જાન્યુઆરીની સવારે એક વટેમાર્ગુએ એક મૃતદેહને કારની પાછળ ઘસડતો જોયો. આ પછી તેણે લગભગ 3.24 વાગ્યે પોલીસને ફોન કર્યો. દીપક નામના યુવકે જણાવ્યું કે, તે મોડીરાત્રે લગભગ 3.15 વાગ્યે દૂધની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યો હતો, ત્યારે તેણે એક કાર આવતી જોઈ. પાછળના પૈડામાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો. આ પછી તેણે પોલીસને કારની પાછળ લટકતી લાશ અંગે જાણ કરી. દીપકે કહ્યું હતું કે, તે સવારે 5 વાગ્યા સુધી પોલીસ સાથે સંપર્કમાં હતો. પરંતુ સ્થળ પર કોઈ આવ્યું ન હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime