બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Big ruckus in Tajia procession, 10 policemen injured in stone pelting, curfew-like situation, what caused this
Vishal Khamar
Last Updated: 11:48 PM, 29 July 2023
નાંગલોઈ વિસ્તારમાં મોહર્રમના જુલૂસમાં રહેલા કેટલાક અસામાજીક તત્વોએ ઝુલૂસને રોડ ઉપર અટકાવ્યું હતું. અને ત્યાર બાદ અચાનક જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં 10 પોલીસકર્મીઓને થોડી ઈજા થઈ હતી. તેમજ એક ડઝનથી વધુ વાહનોને નુકસાન થયું હતું. કેટલાક અસામાજીક તત્વોએ પેસેન્જર બસને પણ નુકશાન કર્યું હતું. ત્યારે બસમાં બેઠેલા કેટલાક મુસાફરો સીટો પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી તમામ ટોળાઓને વિખેરી નાખ્યા હતા. હાલ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
MusIims pelted stones at police personnel during the Tazia procession in Delhi but this time Delhi police decided to return their festival greetings with more love.... pic.twitter.com/VktP4MeCFD
— Mr Sinha (@MrSinha_) July 29, 2023
કેવી રીતે શરૂ થયો હોબાળો
ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે શનિવારે લગભગ 10,000 લોકોની ભીડ મોહરમના જુલૂસમાં નક્કી કરેલ માર્ગ પર તાજિયા લઈને જઈ રહી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ઝુલૂસ પસાર થઈ રહ્યું હતું. પરંતુ અચાનક જ જુલુસમાં રહેલા કેટલાક લોકો દ્વારા તાજિયા લઈને નક્કી કરેલ માર્ગ પર જવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સરઘસમાં સામેલ કેટલાક લોકો સૂરજ માલ સ્ટેડિયમ પાસે નાસ્તો કરવા રોકાયા હતા. બાદમાં જેઓ બળજબરીથી સ્ટેડિયમમાં પ્રવેશવાનું શરૂ કર્યું. જેથી સુરક્ષા કર્મીએ તેઓને અટકાવ્યા પણ હતા.
વીસ મિનિટ સુધી ભારે પથ્થરમારો થયો
પોલીસે સ્ટેડિયમમાં જઈ રહેલા લોકોને અટકાવતા અચાનક જ તાજિયા લઈ રહેલા લોકો રોષે ભરાયા હતા. તેઓએ રસ્તા પર દોડી રહેલા વાહનો અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પેસેન્જર બસોને પણ બક્ષવામાં આવી ન હતી. નાંગલોઈની શેરીઓમાં લગભગ 20 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો. પથ્થરબાજોએ પોલીસની બે જીપને નુકસાન પહોંચાડ્યું હતું. આ પથ્થરમારાના કારણે રસ્તા પર ભયનો માહોલ છવાઈ ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. ડીસીપી હરેન્દ્ર સિંહ અને જિલ્લાના અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસે લાઠીચાર્જ કર્યો અને પછી અસામાજીક તત્વો ભાગી ગયા
ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે જે લોકો પથ્થરમારો કરી રહ્યા હતા. તેઓને ચેતવણી આપવા છતાં પણ તેઓએ પથ્થરમારો રોક્યો ન હતો. ત્યારબાદ પોલીસ ફોર્સે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાની સાથે જ પથ્થરબાજો ભાગવા લાગ્યા હતા. તેમના ભાગી જવાના કારણે રોડ પર જતા બાઇક સવારો નીચે પડી ગયા હતા. પોલીસે તમામને લાઠીચાર્જ કરીને દસ મિનિટમાં હટાવી દીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime